ટૅગ્સ
Akira Kurosawa, एक हाथ की ताली, सूर्यभानु गुप्त, અકીરા કુરોસાવા, અકીરા કુરોસાવા'ની આત્મકથા, આત્મકથા જેવું કઈક, ઇકીરું, ઋષિ, ચંદ્રકાંત બક્ષી, જાપાન, ઝાંસી કી રાની, ઝ્યાં રેન્વા, ડર્સું ઉઝાલા, દંતકથા, દુષ્યંતકુમાર, મૈથિલીશરણ ગુપ્ત, રશોમોન, રામધારીસિંહ દિનકર, સત્યજીત રાય, સામુરાઈ, સાહિત્ય અને સર્જન, સિનેમા, સુભદ્રાકુમારી ચૌહાણ, સુર્યભાનુ ગુપ્ત, હિન્દી કાવ્ય-જગત, હેઈગો, Chandrkant Bakshi, Cinema, Dersu Uzala, Heigo Kurosawa, Ikiru, Jean Renoir, Legends, Poems, Rashomon, Sahity ane sarjan, Satyajit Ray, Satyajit Ray & Akira Kurosawa together, Something like an Autobiography, Surybhanu Gupt
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
આજે તૃતીય પગલું છે . . . કદાચિત ચોથું અને અંતિમ પગલું પણ આવશે અને પુરા પુસ્તક’ને આવરવાનો પ્રયાસ પૂર્ણ થશે . . . આજે વાતો માંડી છે , વિશ્વ-સિનેમા’ની અવિસ્મરણીય હસ્તી ” અકીરા કુરોસાવા ” તેમજ હિન્દી કાવ્ય-જગતના અભૂતપૂર્વ કવિ ” સુર્યભાનુ ગુપ્ત “ની . . .
આશા છે , ફરી આજે બે અંતિમો વચ્ચે રમણ કરવાની મજા આવશે .
[ નોંધ : સુર્યભાનુ ગુપ્ત તથા અન્ય કવિઓ’ની રચના મૂળ હિન્દી’માં જ રખાઈ છે કે જેથી રસભંગ ન થાય { હું ” ગુજીન્દી ” ભાષામાં નથી માનતો 😉 } ]
Disclaimer on Images : Sourced from Wikipedia , Tumblr , WordPress & Rest of Web-World ( i.e – Google Images 🙂 ).
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
વીસમી સદીએ વિશ્વને ‘ સિનેમા ‘ નામની એક નવી કલા આપી , જેમાં વિજ્ઞાન’નો કલા માટે પ્રયોગ અને ઉપયોગ કરવામાં આવ્યો હતો . સિનેમાએ વિરાટ નામો આપ્યા અને એશિયાએ બે જબરદસ્ત કદાચ સર્વોત્કૃષ્ટ નામો આપ્યા : હિન્દુસ્તાન’નાં સત્યજીત રાય ( રે ) [ & ] અને જાપાન’નાં અકીરા કુરોસાવા [ & ]! સપ્ટેમ્બર 6 , 1998ને દિવસે 88 વર્ષે અવસાન થયું ત્યારે કુરોસાવા 30 વર્ષમાં 55 ફિલ્મો વિશ્વસિનેમાને આપી ચુક્યા હતા . સત્યજીત રાય’ની જેમ એમને પણ 1990માં અમેરિકાએ એકેડમી એવોર્ડ આપ્યો હતો , લાઈફટાઈમ એચીવમેન્ટ કે જીવનભરની સિધ્ધિઓ માટે , સત્યજીત રાય’ને ‘ શેક્સપીયર ઓફ સિનેમા ‘નું બિરુદ મળ્યું હતું . કુરોસાવા ‘ તોલ્સતોય વિથ અ કેમેરા ‘ કહેવાતા હતા .
Below are the Pictures of both legends together ( Ray & Kurosawa ) earlier at Taj Mahal , India ( 70’s ) & later at Venice Film Festival in Italy ( 80’s ) .
જાપાને એમને મરણોપરાંત પીપલ્સ ઓનર એવોર્ડ આપ્યો હતો , જે એવોર્ડ 21 વર્ષમાં માત્ર 14 વ્યક્તિઓને જ અપાયો છે . સપ્ટેમ્બરની 13મીએ એમની અંતિમ વિધિમાં જાપાન અને જગતભરમાંથી અંદાજે 35,000 જેટલા માણસો આવ્યા હતા . . . જાપાને 20મી સદીની પોતાની એક જીવંત દંતકથાને ખોઈ નાખી હતી . કુરોસાવાને દફન કરતી વખતે એ જ પોશાક શરીરને પહેરાવવામાં આવ્યો હતો જે પોશાક માટે એ વિશ્વના સીનેમાંપ્રેમીઓમાં મશહુર હતા . હેટ , સનગ્લાસીસ , ઓસ્કાર એનાયત થયો હતો ત્યારે અપાયેલું જેકેટ . . . જાપાને એમને સિનેમાના સમ્રાટ તરીકે અંજલી આપી હતી .
અકીરા કુરોસાવા’ની ફિલ્મ ” રશોમોન ” 1950માં આવી અને જાપાનનો ફિલ્મ-ઉદ્યોગ દુનિયાની આંખમાં આવી ગયો . એક પછી એક યશસ્વી ફિલ્મો આવતી ગઈ અને કુરોસાવાની એ અસર આવી કે હોલીવુડ અને અમેરિકન દિગ્દર્શકો પણ એમની નકલ કરીને ફિલ્મો ઉતારતા ગયા . મેકબેથ અને કિંગ લીયર પરથી એણે જાપાનીઝ રૂપાંતરો આપ્યા , જે જાપાનના ઈતિહાસ’ને અનુરૂપ હતા . કેટલાક માને છે કે એની શ્રેષ્ઠ ફિલ્મ ‘ ઇકીરું ‘ ( જીવવું ) હતી અને મારું માનવું છે કે ‘ ડર્સું ઉઝાલા ‘ એની શ્રેષ્ઠ ફિલ્મ હતી . ઇકીરુ 1952માં આવી , ડર્સું ઉઝાલા 1975માં આવી . પણ કુરોસાવા’માંથી શ્રેષ્ઠ એક ફિલ્મ શોધવી જરા અઘરું કામ છે , આમાં કઈ ફિલ્મ ઓછી સારી છે એ પસંદ કરવાનું છે , માટે પસંદગી કઠીન બની જાય છે !
એશિયાના મહાન ફિલ્મ દિગ્દર્શક અને વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મ વિભૂતિઓમાં સ્થાન પામનાર કુરોસાવા’એ આત્મકથા લખી છે : ” Something like an Autobiography ( Link ) ” અથવા ‘ આત્મકથા જેવું કઈક ‘ ! આ આત્મકથા 20મી સદીના આરંભના જાપાનીઝ જીવન પર સરસ પ્રકાશ ફેંકે છે . આ આત્મકથા એની ફિલ્મ ‘રશોમોન‘ ( 1950) સુધી આવીને અટકી જાય છે . 1910માં જન્મેલા કુરોસાવાએ જાપાની સંયુક્ત કુટુંબ વિષે લખ્યું છે . 1942માં એ ફિલ્મ દિગ્દર્શક બને છે અને 1945માં એની પ્રથમ ગણાતી ફિલ્મ ” The man who tread on the tiger’s tail ” આવે છે . પણ આ આત્મકથાનો કદાચ સૌથી રસિક ભાગ એના જાપાનીઝ બાળપણ’નો છે , તત્કાલીન ટોક્યો’નો છે . 1981માં એ 71 વર્ષનો હતો ત્યારે તેણે આ આત્મકથા લખી હતી અને એ પછી કુરોસાવા 17 વર્ષ જીવે છે , પણ આત્મકથામાં કઈ ઉમેરો કરતો નથી . પ્રસ્તાવનામાં કુરોસાવા એક એકરાર કરે છે કે એના પર ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક ઝ્યાં રેન્વા‘ની ( Jean Renoir ) અમીટ અસર છે , આશ્ચર્યની વાત એ છે કે સત્યજીત રાય ઉપર પણ રેન્વા’ની જ અસર હતી અને એમણે રેન્વા’નાં સહાયક તરીકે કામ કર્યું હતું ! કુરોસાવા’ની ઈચ્છા હતી કે કામ કરતા કરતા સેટ ઉપર જ દેહાંત થઇ જાય . . .
કુરોસાવા અટક છે અને અકીરા નામ છે . આત્મકથાનું પહેલું વાક્ય છે : હું બાથટબ’માં નાગો હતો . . . કારણકે કુરોસાવાની પોતાના વિશેની આ પ્રથમ સ્મૃતિ છે ! પછી કુરોસાવા ઉમેરે છે , હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે . . . મને યાદ નથી , પણ મારી મોટી બહેન કહેતી હતી કે હું મારી મમ્મીના ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ્ઠીઓ જોરથી વાળેલી હતી . કુરોસાવાની નાનપણની બીજી એક સ્મૃતિ હતી , અજવાળામાંથી એકાએક અંધારામાં જવાની અને વર્ષો પછી એને સમજાયું કે એની નર્સ એને પીઠ પર બાંધીને જ ટોઇલેટ’માં લઇ જતી હતી ! છ ફીટ ઊંચા અને 150 પાઉન્ડથી વધારે વજનવાળા કુરોસાવા અકીરા લખે છે : What an Insult / કેવું અપમાન !
કુરોસાવાના પિતા જૂની સામુરાઈ પ્રણાલિકાવાળા લશ્કરી અફસર હતા , જેમણે જાપાનનો પ્રથમ તરણહોજ બાંધ્યો હતો : ઘરમાં સખત શિસ્ત હતી . એક વાર એક સફેદ કુતરો આંખ સામે બે ભાગમાં કપાઈ ગયો , એ પછી કુરોસાવા 30 વર્ષ પછી પણ ગુલાબી કે લાલ માછલી ખાઈ શકતો ન હતો ! નાનપણમાં ચામડાના નહિ પણ લાકડાના બુટ પહેરાવીને બાળકોને સ્કુલે મોકલાતા હતા . અકીરા પર એનાથી થોડા મોટા ભાઈ હેઈગો’ની ભરપુર અસર હતી અને અકીરા એના મોટા ભાઈ’ની પાછળ પડછાયા’ની જેમ ફરતો રહેતો હતો . . એણે અકીરાને પાણીમાં ફેંકીને ડૂબકીઓ મરાવી મરાવીને તરતા શીખવ્યું હતું ! એ આખો પ્રસંગ લગભગ દર્દનાક છે . હેઈગો’એ અકીરાને પાણીની બહાર કાઢીને સમજાવ્યું : ડૂબતો માણસ હંમેશા હસતો હસતો મરે છે ! તું પણ એમ જ કરતો હતો . . .
જાપાન’નાં એ તાઈશો યુગમાં ( 1912 – 1926 ) શિક્ષક એ રાક્ષસનું બીજું સ્વરૂપ હતું . પ્રાથમિક સ્કુલમાં કુરોસાવાની સાથે ભણતો યુકુસાં કાઈનોસુકે જિંદગીભર અકીરા કુરોસાવાની ફિલ્મોના સ્ક્રિપ્ટ-લેખક તરીકે એની સાથે રહ્યો . એ જ રીતે જાપાન’નો મુખ્ય ઈરો તોશીરો મિફ્યુંન પણ કુરોસાવાની ઘણી ફિલ્મોમાં એનો હીરો રહ્યો હતો ( સત્યજીત રાય’ની ઘણીખરી ફિલ્મોમાં સૌમિત્ર ચેટરજી જ હીરો રહેતો હતો . )
અકીરાથી હેઈગો દસ વર્ષ મોટો હતો અને ત્રણ મોટી બહેનો હતી . અકીરા કુટુંબમાં સૌથી નાનો હતો . અકીરા જન્મ્યો ત્યારે સૌથી મોટી બહેન પરણી રહી હતી . અકીરા ચોથા ધોરણ’માં હતો ત્યારે એની સૌથી વ્હાલી બહેન એકાએક બીમાર પડી અને મરી ગઈ . મૃત્યુ સમયે એ 16 વર્ષની હતી . મૃત્યુ પછી બૌદ્ધ પરંપરા પ્રમાણે એને જે નામ આપવામાં આવ્યું એ હતું : પીચ’ના વનમાં સ્વચ્છ સૂર્યકિરણ સહૃદય સ્ત્રી !
નાનપણમાં છોકરાઓને તલવારબાજી શીખવવામાં આવતી હતી અને વાંસની તલવારોથી તાલીમ અપાતી હતી , એ ‘ કેન્ડો ‘ તલવારપટુતા હતી . કુરોસાવા એની સ્કુલના વર્ગશિક્ષક વિષે લખે છે કે જિંદગીમાં પ્રથમ વાર મેં મનુષ્યહૃદયની બર્બરતા’નો અનુભવ કર્યો !
જાપાનમાં નાના છોકરાઓ કેલીગ્રાફી’નાં વર્ગો ભરતા , જેમાં અક્ષરો સરસ ચીતરવા અને લખવાની તાલીમ અપાતી હતી . શિક્ષકે અકીરાને કહ્યું કે હાથથી લખેલા અક્ષરોમાંથી ખુશ્બુ આવવી જોઈએ , છપાયેલા અક્ષરોમાંથી મરેલાની વાસ આવે છે ! વર્ષો પછી એક દિવસ એક શિક્ષકે કહ્યું હતું : કુરો-સાન’નું ( ‘સાન’ જાપાનમાં માનાર્થે લખાય છે , આપણા ‘જી ‘ની જેમ . . . ) લખવું એ લખવું નથી , ચિતરવું છે ! . એક પ્રકરણમાં નાનપણમાં સાંભળેલા અવાજોનું માત્ર વર્ણન છે , જેમાંથી ભવિષ્યમાં પ્રકટ થનારા મહાન ફિલ્મ દિગ્દર્શક અકીરા કુરોસાવાનું માનચિત્ર ખડું થાય છે .
જેમ આપણે ત્યાં ચાર દિન કી ચાંદની કહેવાય છે , એમ જાપાનમાં ‘ ત્રણ દિવસના સાધુ ‘ જેવો શબ્દપ્રયોગ થાય છે . કુરોસાવા સ્વીકારે છે કે એની પાસે વૈજ્ઞાનિક અભિગમ નથી . કાર ચલાવતા આવડતી ન હતી , કુરોસાવા લખે છે કે હું જયારે ફોન કરતો હોઉં ત્યારે ચિમ્પાન્ઝી’ની જેમ રીસીવર પકડું છું એમ મારો પુત્ર કહે છે ! શારીરિક શિક્ષણમાં કુરોસાવા’ને શૂન્ય મળતા હતા .
સપ્ટેમ્બર 1 , 1923ને દિવસે ટોક્યોમાં ભયંકર ધરતીકંપ થયો હતો અને મોટાભાઈએ નાના 13 વર્ષના અકીરાને સાથે લઈને જબરદસ્તી ફેરવ્યો હતો . આગ અને રક્ત અને લાશો તથા મલબા બતાવ્યા હતા . બુઢ્ઢી પરિણીતાઓ જાપાનમાં દાંત રંગાવતી હતી . 1930માં લશ્કરમાં ભરતી થવાનો હુકમ આવ્યો હતો , પણ વીસ વર્ષીય કુરોસાવા નાપાસ થયો હતો . પછી કમ્યુનીસ્ટ આંદોલનમાં કુરોસવાના વર્ષો ગયા . મોટો ભાઈ સાઈલંટ ફિલ્મોની કોમેન્ટ્રી આપવાનું કામ કરતો હતો , પછી ટોકીઝ આવી અને એનું કામ બંધ થઇ ગયું . એક દિવસ મોટા ભાઈ હેઈગો’એ 27મેં વર્ષે આત્મહત્યા કરી નાખી ! એ હંમેશા કહેતો હતો કે મારે 30માં જન્મદિવસ પહેલા મરી જવું છે . જિંદગીભર જેના પડછાયામાં એ મોટો થયો હતો એ તેજસ્વી મોટો ભાઈ સીડી ચડીને છેલ્લે બોલ્યો હતો : ‘ અકીરા , તું જા હવે . . ! ‘
અને છાપામાં આવેલી એક જાહેરખબર કુરોસાવાએ વાંચી : આસીસ્ટંટ ડાયરેક્ટરોની જરૂર છે ! અકિરાએ અરજી કરી અને કુરોસાવા નામની દંતકથાનો જન્મ થયો ! ‘ આત્મકથા જેવું કઈક ‘ પુસ્તક એક જીનીયસને સમજવા માટે પણ વાંચવું પડે એવું છે . . .
{ Chap. 49 ~ કુરોસાવા અકીરા ( 1910-1998 ) : આત્મકથા જેવું કંઈક , Page – 207 }
Find Documentary on Akira Kurosawa in 6 parts , here
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
હિન્દી કવિતા સાથે એક જુનો નાતો રહ્યો છે , 1950નાં દશકથી જયારે મૈથિલીશરણ ગુપ્ત‘ને વાંચ્યા હતા :
था अनुरूप एक राहुल ही , रहे सदा यह अनुगामी
मेरे दुःखमें भरा विश्वसुख क्यों न बनू फिर में हामी
बुध्धं शरणं , धम्मं शरणं , संघं शरणं गच्छामि !
પછી સુભદ્રાકુમારી ચૌહાણ‘ની ઝાંસી કી રાની કવિતા લગભગ પૂરી ઝબાની હતી :
लेफ़िट्नंट वोकर आ पहुंचा , आगे बढ़ा जवानो मे
रानीने तलवार खिंच ली , हुआ द्वंद असमानों में !
અને ,
रानी बढ़ी कालपी आई , कर सौ मिल निरंतर पार
घोड़ा थका , गिरा भूमि पर , गया स्वर्ग तत्काल सिधार !
અને એક હિન્દી કવિતાની અમર લીટીઓ :
धार से कुछ फासले पर स्वप्न देखा मैंने भयंकर
एक मुर्दा , बैठ कर गाता रहा जलती चिता पर !
કોની હતી આ ઉપરોક્ત કવિતા ?
मेरे नगरपति , मेरे विशाल
मेरी जननी के हिमकिरीट , मेरे भारत के दिव्य भाल
,નાં રચયિતા રામધારીસિંહ દિનકર હતા એમને કલકત્તા’ની સેંટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે જોયા , સાંભળ્યા હતા અને હરિવંશરાય બચ્ચન’ની મધુશાલા . . .
પછી 1969માં કલકત્તા છૂટી ગયું અને હિન્દી કવિતાઓ પણ છૂટી ગઈ . કવિ સંમેલનો છૂટી ગયા . ટીવી-કવિ સંમેલનોમાં ગોપાલદાસ નીરજ’નો મદહોશ ખેંચાતો અવાજ સાંભળતા રહેવા સુધી હિન્દી કવિતાનો નાતો રહ્યો . મિત્રો મળતા હતા , કહેતા રહેતા હતા કે હિન્દી કવિતાનું એ ધોરણ હવે ક્યા ? અને દુષ્યંતકુમારની કવિતાઓ વાંચવા મળી , ફરીથી હવાનો એક ઝોંકો આવ્યો અને એ 1950નો જાહોજલાલ દશક દિમાગ’માં ઝલઝલી ગયો . હિંદી કવિતાથી સંબંધ છૂટી ગયો હતો એ સત્ય હતું અને ફરીથી એક કાવ્યસંગ્રહ આવ્યો , નામ હતું : ” एक हाथ की ताली ” ! અને 1997માં પ્રકટ થયેલા આ કાવ્યસંગ્રહના કવિ હતા : સુર્યભાનુ ગુપ્ત ( सूर्यभानु गुप्त ) જે ગુજરાતી કાવ્યરસિકો અને પ્રબુદ્ધ શ્રોતાઓમાં ગુજરાતીના શીર્ષસ્થ કવિઓ જેટલા જ પ્રિય છે .
સુર્યભાનુ ગુપ્ત’નો આ પહેલો અને છેલ્લો કાવ્યસંગ્રહ છે અને એમાં ગીતથી ગઝલ અને હાઈકુ’થી દોહા સુધીના પ્રકારોની ગેય કવિતાઓ સંકલિત છે . 58 વર્ષીય સુર્યભાનુ ગુપ્ત 40 વર્ષોથી લખે છે અને 600 જેટલી કવિતાઓ સર્જી ચુક્યા છે અને ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે . એમની કવિતાઓમાં હિન્દી કવિઓની માત્ર ‘ વ્યંગ્ય કસવા ‘ની ઉપદ્રવી ખાસિયત નથી , પણ વિષાદાનંદ છે , અનુભવાનંદ છે . એ લખે છે : लोग . . . जन्मपत्रिया ओढ़े उम्र काट देते है ! ભાષાને રમાડવાનો એક કસબ કવિ પાસે છે : आईने चहेरा गए दिन-रात के सारे ! ‘ મંચો ‘ની સાથે ‘તમંચો’નો પ્રાસ છે . કવિને પોતાના પેશા વિષે જાગરૂકતા છે . લખે છે :
दोस्तों ! कविता , अपने नकली दांतों से
/ हंसती भी है / और / बड़े बड़े अखरोट भी तोडती है !
કદાચ સુર્યભાનુ ગુપ્ત એ સમજે છે , કારણકે ‘ શહર ‘ કાવ્યમાં એ એકરાર કરે છે :
मेरे अन्दर / गोली खाया एक जख्मी जानवर !
કવિ પાસે વેદનાની જબરદસ્ત નકશી છે : सांस भी लोगे तो निशान पड़ेंगे मिट्टी पर ! અને . . . उस घाट के पास / जहा नदी बेहद उदास होती है ! આ વાત કવિ ‘ નિરાલા ‘ વિષે લખે છે . . . तुम वसंत में जन्मे / और उम्र भर / वसंत के लिए तरसते रहे ! સુર્યભાનુ ગુપ્ત’ની વેદનાની નક્કાશી નશીલી છે . લખે છે : खेल मौसम भी खूब करता है / छींटे आते है मेरे अन्दर तक ! . . . અને જરા આગળ એક કલ્પન : तेज़ नाख़ून है यूँ हवाओके / लिखके हंसता है एक संन्यासी / बर्फ पर नाम अप्सराओंके !
પક્ષી પાંખોથી હવાઓ પર લખે છે , ‘ ફાગુન ‘ કાવ્યમાં અને ‘ સબરંગ ‘ કાવ્યમાં :
लड़के-लड़की की एक कहानीमे
तैरना बर्फ का मुकदर था
एक दिन खुद ही अपने पानी में !
સુર્યભાનુ ગુપ્ત’ની ફટકાર ક્યારેક ઇલેક્ટ્રિક હંટર’ની જેમ વિંઝાઈ જાય છે : वही सुबह – शाम / वही वही काम / बिना लगे गोली , मन / बोले है राम ! અને . . . અંતે , घर बाँधा कुछ हटकर / कब्रों के पास . . ! એમની બે અત્યંત વેધક અને પ્રસિદ્ધ કવિતાઓ છે : પિતાજી કા બચ્ચા અને સુર્યાસ્ત . પિતાજી કાવ્યમાંથી એક અંશ :
पिताजी के अन्दर / पिताजी पड़े है
पिताजी के बाहर / पिताजी खड़े है !
બીજી કવિતા સુર્યાસ્ત’માં ચહેરાઓ વિષે વાત છે . ભાષાની રવાની અનવરત છે . એક પંક્તિ :
चेहरे मरे हुए कोलम्बस / चेहरे चुल्लू बने समंदर
चेहरे पत्थर की तहज़ीबे / चेहरे जलावतन पयगम्बर !
ગઝલસર્જનમાં પણ સુર્યભાનુ ગુપ્ત’ની એ જ મસ્તમિજાજી સપાટી પર આવી જાય છે :
दिल के दरवाज़े होते है अन्दर को खुलनेवाले
मै अन्दर आकर पछताया और इक चेहरा याद आया !
ગઝલોને લગભગ શીર્ષકો નથી , કદાચ જરૂર પણ નથી . એક એક લીટીનો પોતાનો અભિમાની પડઘો છે . એક અંશ અને થોડી લીટીઓ : पहाडो के कदों की खाइया है / बुलंदी पर बहुत निचाईया है . . ! અને , बीके पानी समंदर के किनारे . . ! ક્યારેક ટીસ ઉઠી જાય એવી લીટીઓ આવી જાય છે : दांतों के बिच दांत तन्हा / खालिस सोने मै मढा हुआ ! . . . અને એ જ ગઝલમાં : सतयुग में एक आदमी था / कलियुगमें वो देवता हुआ ! . . . અને આગળ , અન્ય કૃતિમાં : उम्रभर जोंपडो में दिखाती रही / रोज़ कश्मीर के पोस्टर जिंदगी !
એક ગઝલના ચંદ શેર :
रंज इसका नहीं की हम टूटे / ये तो अच्छा हुआ भरम टूटे
एक अफवाह थे सभी रिश्ते / टूटना तय था और हम टूटे
शायरी , इश्क , भूख , खुद्दारी / उम्रभर हम तो हर कदम टूटे
तुज पे मरते है जिंदगी अब भी / जूठ लिक्खे तो ये कलम टूटे . . .
સુર્યભાનુ ગુપ્ત’ને વાંચ્યા પછી , નીરજ અને દુષ્યંતકુમાર પછીનો સિલસિલો સમજાતો ગયો છે . આ કવિતાઓ પૌરુષિક વેદનાની કવિતાઓ છે . આમાં सहरा में जला पानी . . . ની વાત છે અને अपने ही गले लगके , रोने की सज़ा पानी . . . ની વાત પણ છે . . !
{ Chap. 54 ~ સુર્યભાનુ ગુપ્ત : હિન્દી કવિતાના અભિમાની પડઘા . . . , Page – 228 }
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
नान्रूषि : कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात
અર્થ : ઋષિ એટલે એ વ્યક્તિ , જે દર્શન કરી શકે અને ઋષિ ન હોય એવી કોઈ વ્યક્તિ ક્યારેય કવિ બની શકે નહિ . ( from page 95 )
{ અને મારા નમ્ર મતે ઉપરોક્ત વ્યક્તિઓમાંથી એક પાસે દર્શન છે અને બીજા પાસે કાવ્ય .}
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
yuvrajjadeja said:
જલસે જલસો … (રસપ્રદ ) જ્ઞાન નો મહાસાગર બનતી જાય છે આપની પોસ્ટ્સ પ્રભુ ! બંને લેજેન્ડ માંથી બીજા લેજન્ડ વિષે જાણકારી નહોતી , અને પહેલા લેજંડ વિષે હતી પણ આટલી નહિ ! અને શ્રેષ્ઠ ફોટા શોધી લાવીને એનો આસ્વાદ કરાવવામાં તો તમારી એક્સપર્ટlઈઝ તો છે જ. અને હાઈ લેવલ હિન્દી કવિતા નો આસ્વાદ પણ ગમ્યો . કીપ ઈટ અપ બંધુ 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
માણસ માત્ર જલસા’ને પાત્ર 🙂 . . . મને પણ અકીરા કુરોસાવા વિષે તેમની મુવીઝ સંબંધિત માહિતી હતી પણ અંગત સ્તરે કોઈ ખ્યાલ ન હતો . . . અને ડીટ્ટો , સુર્યભાનુ ગુપ્ત વિષે ( જરા પણ ખ્યાલ ન હતો , સિવાય કે તેમની તે કવિતા બરફ’વાળી . . . )
અને ચિત્રો ( અને ચલ-ચિત્રો [Gif] પણ ) તો મારા બ્લોગ’નો પ્રાણ છે . . . ક્યારેક તો પોસ્ટ લખાયાના સમય કરતા પણ વધુ સમય ચિત્રાવલી માંગી લે છે ! . . . પણ , જયારે ચિત્રો થકી શબ્દો’ને પાંખો મળે છે અને આપણી આંખો ઠરે છે ત્યારે . . .
જયારે શબ્દો મૌન ધારણ કરે છે ત્યારે ચિત્રો બોલી ઉઠે છે 🙂
LikeLike
hirenkavad said:
ક્યાં બાત હૈ..! વેલ સેઇડ..!
LikeLike
preeti said:
In near future you are going to be very famous writer for book reviews and film reviews…. 🙂
Thumbs up for u…. 😀
LikeLike
નિરવની નજરે . . ! said:
ક્ષમા કરશો પ્રીતિ’મેમ . . . અકસ્માતે આ કમેન્ટ સ્પામ એરિયામાં ચાલી ગઈ હતી , અને થોડો મોડો પડ્યો ( અકસ્માત’થી થાય તે અકસ્માત 🙂 )
આપની શુભેચ્છાઓ બદલ ખુબ આનંદ થયો , પણ ક્યારેક હું મારી જૂની પોસ્ટ્સ વાંચતો હોઉં છું ત્યારે થોડી વિચિત્રતા’ની લાગણી પણ થાય છે . . . કે કદાચિત આનાથી વધુ સુંદર અને વ્યવસ્થિત લખી શકાયું હોત ! પણ ત્યારે એમ થાય છે કે અપૂર્ણતા’ની પણ એક મજા છે .
હું થમ્સ-અપ તો પીતો નથી , પણ આ થમ્બ્સ-અપ મને ખુબ પસંદ પડ્યું 🙂
LikeLike
renxkyoko said:
Akira Kurosawa….. You just reminded me to look him up.
LikeLike
નિરવની નજરે . . ! said:
i am on that way , too . . . soon his amazing films will be explored here . . 🙂
LikeLike
Prashant Goda said:
એક આંખોને ઠંડક આપેછે અને બીજું(કવિતા) મનને.
LikeLike
નિરવની નજરે . . ! said:
ઠંડક પરથી યાદ આવ્યું કે શિયાળો આવી રહ્યો છે . . . એય’ને ઠંડીમાં ગોદડા’માં ઘૂસીને ફિલ્મ જોવાની મજા અને કવિતા વાંચવાની મજા 🙂 . . . અને હાં . . . આંખો અને મન’ને ઠંડક વળે એટલે મળે મીઠી નિંદ્રા , કે જેનું કોઈ મુલ્ય નથી .
LikeLike
hirenkavad said:
તમારી લાંબી પોસ્ટ વાંચવાનો મોકો રવિવારે જ મળે..! અને રવિવાર સુધરી જાય છે..!
LikeLike
નિરવની નજરે . . ! said:
અરે ધન્યવાદ મિત્ર 🙂 . . . એટલે જ તો રવિવાર બનાવ્યો છે ( સારી સારી વસ્તુઓ માણવા અને બનાવવા ! )
LikeLike