ટૅગ્સ
Al-mustafa, Aurores, અલ-મુસ્તફા, અલમિત્રા, ઓર્ફેલીસ, કિશોરલાલ મશરૂવાળા, ખલિલ જિબ્રાન, ચંદ્રકાંત બક્ષી, દર્દ, ધ પ્રોફેટ, ધ માસ્ટર, પ્રેમ, ફ્યઝ અહમદ ' ફ્યઝ ', બોલવું, મજા, મૃત્યુ, મૈત્રી, રહસ્યવાદ, લગ્ન, વિદાય વેળાએ, સાહિત્ય અને સર્જન, સૌંદર્ય, Buying and Selling, Chandrkant Bakshi, children, clothes, Crime and Punishment, Divine World, Eating and Drinking, freedom - Path To Paradise, giving, Good and Evil, houses - The Lebanese Mountains, Joy and Sorrow, kahlil gibran, Laws, Love, marriage, Pain, Pleasure, Reason and Passion, Religion, Sahity ane sarjan, self knowledge, Silent Suffering, talking, teaching, The Divine World, The Prophet, The Silence, time
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ચંદ્રકાંત બક્ષી‘ને વાંચવાના બહુ મોડેથી શરુ કર્યા અને જયારે હવે હું શરુ થયો છું ( એક સાથે છ પુસ્તકો ) ત્યારે મને એ લોકોની ઈર્ષ્યા આવે છે કે જેઓએ તેમના મહતમ પુસ્તકો વાંચી લીધા છે ( જેમકે ; મૌલિકા’જી , રજનીભાઈ અને કાર્તિકભાઈ . . અને ઘણા બ્લોગર મિત્રો / વડીલો ) . . . પણ સાથે સાથે મને એમ પણ લાગે છે કે તેઓને પણ હવે મારી ઈર્ષ્યા આવશે કેમકે મારી સફર હવે શરુ થઇ છે અને મને આગળ ખુબ જ મજા પડવાની છે ( જ્ઞાન’ની અથવા કહીએ તો ચિક્કાર જ્ઞાન’ની , ચાબખા’ની , કટાક્ષ’ની , હિંમત’ની , સામા પૂરે વહેવાની અને તે પણ છપ્પન’ની છાતી લઈને . . . તેમના પ્યારા ચાહકોને મોજ કરાવવાની મજા ! )
ખુબ જ ધૂંધળી સ્મૃતિઓમાં તેમના સંદેશ’માં આવતી કટારનાં લેખો વાંચ્યાનું યાદ છે . . . પણ તે પણ ખુબ જ જુજ . ત્યારબાદ સારા એવા સમય સુધી તેમના વૈવિધ્યરૂપી પુસ્તકોથી અળગા રહેવાનું થયું અને એક વાર જયારે પુસ્તકો લેવા પહોંચ્યો ત્યારે એક સાથે તેમના છ પુસ્તકો વસાવી લીધા { 1) પેરેલીસીસ 2) વિવિધ ગુજરાત 3) સાહિત્ય અને સર્જન 4) 64 લેખો 5) 35 લેખો 6} અમેરિકા અમેરિકા } કે જેમાંથી માત્ર ” અમેરિકા અમેરિકા ” જ વાંચવાનું બાકી છે અને આજે તમારી સાથે ” સાહિત્ય અને સર્જન ” પુસ્તક’ની વાત કરવાનો છું .
આમ તો બક્ષી’જીના અદભુત લેખોની સંગ્રહમાળા સમાન અદભુત બ્લોગ નેહલભાઈ‘એ તો ક્યારનો શરુ કરી દીધો છે [ બાકાયદા બક્ષી ] અને એમ કરતા કરતા ત્યાં પણ તેમના લેખો ચિક્કાર માત્રામાં વંચાયા છે ( એ રીતે તેઓએ મને બક્ષી’ને નિયમિત વાંચતો કર્યો છે ) . . . નેહલભાઈ ખુબ જ અદભુત રીતે જોડણી’ની ભૂલો વગર અને ખુબ જ દુર્લભ ગણાતા એવા જુના અને સોના જેવા લેખો ખુબ જ નિયમિત રીતે આપણ’ને પ્રાપ્ય કરાવતા રહ્યા છે , તે બદલ તેમનો ખુબ ખુબ આભાર . અને મારી ધારણા પ્રમાણે ” સાહિત્ય અને સર્જન ” પુસ્તકમાંથી કદાચિત હજુ સુધી તેઓએ કોઈ રસપાન કરાવ્યું નથી , માટે હું આ પુસ્તક’માંથી મને ગમતા કેટલાક અંશો વહેંચવા જઈ રહ્યો છું . આશા છે કે મારી જેમ જ આપની મગજ’રૂપી બેટરી રીફ્રેશ થઇ જશે 🙂 અને હાં , એક ઘોષણા : . . . હવે જયારે જયારે નવા પુસ્તકો લેવાનું થશે , ત્યારે તેમાં બક્ષી’જીના એક થી બે પુસ્તકો તો હશે જ 🙂
અહીંયા આજની પોસ્ટ’માં પ્રસિદ્ધ ફિલસૂફ ખલિલ જિબ્રાન‘ વિશેના તેમના લેખો . . . પ્રકરણ 3 { ફૂલનું નહિ , ખુશ્બુ’નું ચિત્ર ચીતરવાની વાત . . . Page 13 } અને પ્રકરણ 51 { અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . ! Page 216 } , એમ બંનેમાંથી સંયુક્ત રીતે મૂકી રહ્યો છું . . . આશા છે કે જિબ્રાન’ની ફિલસુફી બક્ષીના અંદાજમાં કઈક નવી જ દિશા દેખાડશે . . . અને હાં , કદાચિત આ પુસ્તક ” સાહિત્ય અને સર્જન ” સંબંધિત , હું બે અથવા તો ત્રણ ભાગ કરીશ . . . તો રાહમાં રહેજો , આજે પ્રસ્તુત છે : ભાગ 1 ( એકડે એક ! )
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
અને પછી અલમિત્રા ફરીથી બોલી , અને પૂછ્યું : અને લગ્ન’નું શું , ગુરુદેવ ? અને એણે ઉતર આપ્યો : તમે ( લગ્નમાં ) સાથે જન્મ્યા હતા . . . અને મૃત્યુ’ની સફેદ પાંખો તમારા દિવસો ખંખેરી નાખશે ત્યાં સુધી તમે સાથે રહેશો અને ઈશ્વર’ની શાંત યાદમાં પણ તમે સાથે હશો . પણ તમારા સાહચર્ય’ની વચ્ચે જગ્યાઓ રાખજો . તમારી બે’ની વચ્ચે સ્વર્ગ’ની ખુશ્બુઓ’ને નાચવા દેજો . . .
આ અવતરણ ખલિલ જિબ્રાન’નાં અમર પુસ્તક ‘ ધ પ્રોફેટ ‘માંથી છે , જેમાં મુખ્ય પાત્ર અલમુસ્તફા અથવા ધ માસ્ટર અથવા ધ પ્રોફેટ કે પયગમ્બર અથવા ખલિલ જિબ્રાન સ્વયં જીવનના વિવિધ પ્રશ્નો પર દાર્શનિક ઉત્તરો આપતા રહે છે . જિબ્રાન’ની ગણના વિશ્વના 20મી સદીઓના રહ્સ્યવેતાઓમાં થાય છે . ભાષા અને રૂપકો મધ્યકાલીન આરબ છે અને ક્યારેક એ પ્રાચીન કાલીન પણ લાગે છે . વિચારો પાણી પર દોડતી વિદ્યુત’ની લાકીરોની જેમ દોડે છે .
પ્રેમ કરજો એકબીજાને , પણ પ્રેમની સાંકળ ન બનાવશો . તમારા બે આત્માઓનાં કિનારાઓની વચ્ચે એક ઘૂઘવતો સમુદ્ર રાખજો . એકબીજાના પ્યાલાઓ ભરી દેજો પણ એક જ પ્યાલાઓમાંથી પીશો નહિ . સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો . જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે . તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ . મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો .ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . .
ખલિલ જિબ્રાન’ની રહસ્યભાષા જેવા જ તેમના રહસ્યચિત્રો અથવા રેખાચિત્રો છે , જે જિબ્રાને સ્વયં ચીતર્યા છે . અંતિમ વર્ષોમાં રવીન્દ્રનાથ ટાગોરે પણ ‘ ડુડલીન્ગ્સ ‘ બનાવ્યા હતા અને પછી અદભુત ચિત્રો ચીતર્યા હતા . જયારે શબ્દ અર્થ કહી શકતા નથી ત્યારે રેખાનું શરણ લેવું પડે છે , કલાકારે પોતાની અભિવ્યક્તિ માટે . શબ્દ પાસે અર્થથી આગળ કઈ જ હોતું નથી અને અર્થ’ની પરિધિ સીમાબદ્ધ હોય છે .
Disclaimer : All Images are sourced from Web World .
પ્રશ્નો પુછાતા રહે છે : ધુમ્મસી સમુદ્ર પર જહાજ આવીને ઉભું રહી ગયું છે . જવા’નો , પ્રયાણ’નો , વિદાય’નો , મહાપ્રસ્થાન’નો , મહાભિનીષ્ક્રમણ’નો સમય આવી ગયો છે . જે ઓર્ફેલીસ નગરમાં એણે બાર વર્ષો ગુજાર્યા હતા , એ નગર છોડવાનું છે અને નગરજનો એકત્ર થઇ ચુક્યા છે . અંતિમ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને આ રૂપક છે , દ્યોતક છે , જીવનની અંતિમ સફર , જિંદગીનું ‘ તમામ શુદ ‘ , અલ-વિદા ( અરબીમાં અલ-વિદઅ ) , ઉપસંહાર , અંજામ , પ્રશ્નો ગંભીર છે , મોતના પ્રશ્નો , હયાતના પ્રશ્નો , કાયનાત’ના પ્રશ્નો અને ઉતરો છે , ક્ષણને જ્યોતિર્મય કરે તેવા ઉતરો છે . હૃદયને નિર્ભાર કરવાની વાત છે . વિક્ષિપ્ત પ્રાશ્નીક’ને વિશ્રાંત કરવાનો દાર્શનિક અભિગમ છે . જિબ્રાન’ની વિશેષતા વિચારોની વિપરીતતામા છે , વિરોધીતામાં છે અને વિષયોની વિવીધામાં છે .
એક વિદ્વાન બોલે છે : અમને બોલવા વિષે કહો ! અને ‘ ધ પ્રોફેટ ‘ કહે છે : જયારે તમે તમારા વિચારોની શાંતિથી ત્રાસો છો , ત્યારે તમે બોલો છો . તમારા ઘણાખરા બોલવામાં વિચારોની અર્ધ-હત્યા થઇ જાય છે . વિચાર અવકાશનું પક્ષી છે , જે શબ્દોના પિંજરામાં રહેલું છે , એ પાંખો ફફડાવે છે પણ ઉડી શકતું નથી . એક જવાન કહે છે : અમને મૈત્રી વિષે કહો ! અને એ કહે છે : તમારી જરુરતોનો જવાબ એ તમારો મિત્ર છે . મૈત્રી એ ધરતી છે જેમાં તમે પ્રેમ વાવો છો અને આભાર લણો છો . મૈત્રીમાં શબ્દો વિનાના વિચારો , ઈચ્છાઓ , અપેક્ષાની સાઝેદારી હોય છે .
વર્ષે એક વાર આવતા એક સાધુ એ કહ્યું : અમને મજા વિષે કહો ! તેણે કહ્યું : મજા સ્વાતંત્ર્ય-ગીત છે , સ્વાતંત્ર્ય નથી . એ પિંજરામાંથી છૂટીને ફડફડી રહેલી પાંખો છે . એ ગહરાઈનું ઊંચાઈને આહવાન છે . તમારામાંના કેટલાક વડીલો મજાને નશામાં કરેલી ભૂલોની જેમ દોષભાવથી યાદ કરે છે , પણ ગ્લાની એ મનનું ઘેરાઈ જવું છે . એ લોકોએ એમની મજાઓને આભારવશ યાદ કરવી જોઈએ . ઉનાળાની ફસલની જેમ . છતાં પણ ગ્લાનીથી જો સુકુન મળતો હોય તો એમને સુકુન મળવા દો . . . બુલબુલ રાતની શાંતિ’ને જખ્મી કરશે ? આગિયા આકાશના તારાઓનો અવિવેક કરશે ? . . . મજાને નકારીને તમે ઈચ્છાઓને તમારા અહં’માં પૂરી દીધી છે . તમારા શરીરને એના વારસાની ખબર છે અને એને ઠગી શકાશે નહિ . તમારું શરીર તમારા આત્માનું વાદ્ય છે . આપણી ફરજ છે નક્કી કરવાની . સુમધુર સંગીત કે બેસુરો કોલાહલ ?
અને એક કવિએ કહ્યું : અમને સૌન્દર્ય વિષે કહો ! અને એણે કહ્યું : પડછાયાનાં ડરથી થરકતા મંદ પ્રકાશબિંદુની જેમ આપણી ખામોશીઓમાંથી ઉઠતો સ્વર એ સૌંદર્ય છે . . . સૌંદર્ય જરૂરત નથી , ઉન્માદ છે . એ મુખની પ્યાસ નથી , ખાલી હથેળીની યાચના નથી , એ હૃદયનું ભડકવું છે , આત્માનું પારા-પારા થઇ જવું છે . . . સૌંદર્ય એ આયનામાં પોતાને જોઈ રહેલો અનંતકાલ છે . અને તમે સ્વયં અનંતકાલ છો , તમે સ્વયં આયનો છો , ઓર્ફેલીસ’નાં નગરજનો !
ખલિલ જિબ્રાન’ની ભાષા અને તાત્પર્યાર્થો વિષે ઉત્કુષ્ટથી નિકૃષ્ટ સુધી અભિપ્રાયો વિશ્વભરના પ્રાજ્ઞ અભિપ્રાયજ્ઞોએ આપ્યા છે . જિબ્રાન’ની ઉડાન અને જિબ્રાન’ની ફ્લાસફરાના રવાની’ને ગુજરાતી ભાષામાં મુકવાનું દુ:સાહસ બહુ લેખકો કરી શક્યા નથી . કારણકે વિચારોનાં પ્રત્યેક બુંદમાં સપ્તરંગી મેઘધનુષ્યો ઘોળાયેલા છે , જિબ્રાન’ને પ્રસ્તુત કરવા એ ફૂલનું નહિ પણ ખુશ્બુ’નું ચિત્ર ચીતરવા જેવું દુશવાર કામ છે . ચિત્રકાર મોનેં’ને પૂછવામાં આવ્યું હતું કે તમે આ શું ચીતર્યું છે ? ચિત્ર સ્ટીલ લાઈફ’નું હતું . અને મોનેં’એ નિસંકોચ સાહજીકતાથી કહી દીધું : મેં તડકો ચીતર્યો છે ! ખલિલ જિબ્રાન’ને વાંચતા વાંચતા , વર્ષો પછી ફરીથી વાંચતા વાંચતા ઉર્દુના મહાન શાયર ફ્યઝ અહમદ ‘ ફ્યઝ ‘ની લીટીઓ બેસાખ્તા યાદ આવી જાય છે :
નસીમ તેરે શબીસ્તાન સે હો કે આયી હૈ
મેરે સહર મેં મહક હૈ તેરે બદન કી – સી . . . !
( હવાની લહર જરૂર એ જગ્યાએથી આવી છે જ્યાં તું લેટેલી ખ્વાબ જોતી હતી / મારી સવાર તારા શરીરની ખુશ્બુથી સુવાસિત થઇ ગઈ છે . )
અને એક સ્ત્રી બોલી , અમને દર્દ વિષે કહો ! તેઓ બોલ્યા : દર્દ તમારી સમજદારીનું કવચ તોડવાનું નામ છે . જેમ ફળ’નો ઠળીયો તૂટવો જોઈએ . એમ તમારે દર્દને સમજવું પડશે . . . અને તમારે તમારા હૃદયની બદલાતી મૌસમોને સ્વીકારવી પડશે . . . તમારું ઘણુંખરું દર્દ તમે ખુદ પસંદ કરેલું છે . . . જે મીટ્ટી’ની પ્યાલી તમે હોઠે લગાડી રહ્યા છો એને કુંભારના પવિત્ર આંસુઓથી ભીંજાવવામાં આવી હતી .
માપદંડ લઈને તમારું જ્ઞાન માપવા બેસશો નહિ . તમારા સ્વપ્નોમાં જોયેઆ નગ્ન શરીરને તમે તમારી આંગળીઓથી સ્પર્શ કરશો . કહેશો નહિ કે મને સત્ય મળી ગયું છે , પણ કહેજો કે મને એક સત્ય મળ્યું છે . . . આત્મા ઘાસની જેમ ઉગી જતો નથી . આત્મા કમળની પત્તીઓની જેમ ધીરે ધીરે ઉઘડે છે . . . એ પહેલી ક્ષણ જયારે આસમાનમાં તારાઓ ફેંકવામાં આવ્યા હતા , એ હજી તમારામાં છે . ગઈકાલ એ આજની સ્મૃતિ છે , આવતીકાલ એ આજનું સ્વપ્ન છે . આજે ભેટી લઈએ, ભૂતકાળને યાદદાસ્તથી , ભવિષ્ય કાળને અપેક્ષાથી .
અને અલમિત્રા બોલી , હવે અમને મૃત્યુ વિષે કહો ! અને એણે કહ્યું : તમે મૃત્યુનું રહસ્ય સમજી જશો . પણ જ્યાં સુધી જીવનના હાર્દ સુધી નહિ જાઓ ત્યાં સુધી મૃત્યુનું રહસ્ય કેવી રીતે સમજશો ? જીવન અને મૃત્યુ એક જ છે , નદી અને સમુદ્ર એક જ છે તેમ જ . . . પવનમાં નગ્ન ઉભા રહેવું અને ધૂપમાં ઓગળી જવું , એ સિવાય મૃત્યુ છે શું ? શાંતિની નદીમાંથી પીશો અને તમે ગાશો , પર્વતનાં શિખર પર પહોંચશો અને તમે ચડવું શરુ કરશો . ધરતી તમારા હાડકા સ્વીકારી લેશે પછી તમે નૃત્ય શરુ કરશો . . .
– – – – – – – – – – – – – – – – – – – –
ખલિલ જિબ્રાન’ની આ શૈલી , આ લાઘવ , આ મૌલિકતાએ વિશ્વના બૌદ્ધિકોને ઝકઝોર કરી નાખ્યા .પશ્ચિમે સત્યની આવી ભાષાનો અનુભવ કર્યો ન હતો . આ ઓરીએન્ટલ મિસ્ટીસિઝ્મ અથવા પૌવાર્ત્ય રહસ્યવાદ હતો .જ્યાં ભાષા રૂપકોની હતી , વ્યંજના’ની હતી , તુલના’ની હતી , સાતત્ય’ની હતી . અહીં સંશ્લેષણ કે વિશ્લેષણની જરૂર ન હતી , કારણકે અર્થઘટન અને મર્મઘટન સામુહિક નહિ પણ વૈયક્તિક હતા . એક પછી એક વિષયને જિબ્રાન રોમાંસની અને રહસ્યની રોચક ભાષામાં પ્રસ્તુત કરે છે . વિદાય સમયના વાક્યો દાર્શનિક ઉદાતતા પ્રાપ્ત કરી લે છે . કિશોરલાલ મશરૂવાળાએ ‘ ધ પ્રોફેટ ‘નો જે અનુવાદ કર્યો છે તેનું નામ પણ છે : વિદાય વેળાએ ! વિદાય કાલીન આ ગદ્યખંડના અંતે ખલિલ જિબ્રાનનું કદાચ સૌથી સુખ્યાત વાક્ય છે :
થોડી વાર , . . . હવા પર વિશ્રામની એક ક્ષણ , . . .
અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . !
( A little while , a moment of rest upon the wind , and another women shall bear me )
ખલિલ જિબ્રાન’નો અનુવાદ કરવો દુષ્કર છે . કારણકે એ ગદ્ય કાવ્યમય દર્શનની કક્ષાનું છે અને એમની ભાષા ગદ્ય અને પદ્યની વચ્ચેની લગભગ અર્ધજાગૃતાવસ્થાની , ટ્રાન્સની ભાષા છે . સાંજ પડે છે , જહાજ આવી ગયું છે અને ધ માસ્ટર , ધ પ્રોફેટ , અલ-મુસ્તફા , પસંદીદા અને પ્યારા ભવિષ્યવેતા ( the chosen and the beloved ) . . . ઓર્ફેલીસ નગરની સ્ત્રી અલ્પમિત્રાને કહે છે : એ હું હતો જે બોલ્યો હતો ? શું હું શ્રોતા પણ ન હતો ? . . . ઓર્ફેલીસના નગરજનો ! હું હવાઓની સાથે જ રહ્યો છું . . . મૃત્યુ મને સંતાડી દેશે , પણ હું ચઢતી ભરતીની સાથે પાછો આવીશ . . . માણસની જરૂરતો બદલાય છે , એનો પ્રેમ બદલાતો નથી . સમજી લો . . . હું વધારે વિરાટ ખામોશીમાંથી પાછો ફરીશ . . . તમારો શ્વાસ મારા ચહેરા પર હતો . હું તમને બધાને ઓળખું છું . . . હું તમને શબ્દોમાં કહું છું જે તમે વિચારોમાં સમજો છો . તમારા વિચારો અને મારા શબ્દો એક કૈદ સ્મૃતિમાંથી આવતા મોજાઓ છે . . . તમે તમારા શરીરોમાં બંધ નથી . . .
ફેર યુ વેલ , ઓર્ફેલીસ’નાં નગરજનો , આ દિવસ પૂરો થાય છે , ભૂલશો નહિ કે હું તમારી પાસે પાછો આવવાનો છું , થોડી વાર . . . મારી અપેક્ષાઓ બીજા શરીર માટે મિટ્ટી અને ફીણ ભેગું કરશે . . . અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . ! ફેરવેલ ટુ યુ . . . અને એ જવાની જે મેં તમારી સાથે ગુજારી હતી . ગઈ કાલે જ આપણે મળ્યા હતા , એક ખ્વાબમાં , સ્મૃતિની ગોધુલીમાં આપણે એક વાર ફરીથી મળીશું , આપણે ફરીથી એક ભાષા બોલીશું અને તમે મને એક વધારે મધુર ગીત સંભળાવશો . .
ખલિલ જિબ્રાન’નું ‘ ધ પ્રોફેટ ‘ વિશ્વસાહિત્યના મહાપુસ્તકોમાં સ્થાન પામે છે . આ માધ્યમ પૌવાર્ત્ય છે . ફક્ત અલમિત્રા શાંત છે , જોઈ રહી છે . જહાજ ધુમ્મસમાં અદ્રશ્ય થતું જાય છે . . .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . . !
ગુજરાતી બ્લોગજગતમાં આ પહેલા પણ ખલિલ જિબ્રાન‘ની કૃતિ ” ધ પ્રોફેટ “નો અદભુત રીતે પરિચય કરાવાઈ ચુક્યો છે , થોડીક લિંક્સ ( ઉર્ફે કડીઓ ! ) }
1} વાંચનયાત્રા બ્લોગમાં શ્રી અશોકભાઈ મોઢવાડીયા‘એ કિશોરલાલ મશરૂવાળા અનુવાદિત ‘ વિદાય વેળાએ ‘ પુસ્તકમાંથી જુદા જુદા વિષયો પર કુલ આઠ પોસ્ટ્સ રજુ કરી હતી , જુઓ અહીંયા [ ” ટેગ – ખલિલ જિબ્રાન ” હેઠળ , Total 8 posts ]
2} હિનાબેન પારેખ‘નાં બ્લોગ પર : ‘ મૃત્યુ ‘ વિષે [ Link ]
3} રીડગુજરાતી પર : ‘ લગ્ન ‘ વિષે [ Link ]
4} અને અક્ષરનાદ પર : ધર્મ અને પ્રાર્થના વિષે [ Link ]
Kahlil Gibran – 1883-2007
rajniagravat said:
સુબહકા ભુલા શામ કો ઘર આયે તો વાળી કહેવત અહિં લાગુ નહી પાડી શકાય વત્સ,
પણ બક્ષી સાહેબની રીતે એવુ કહી શકાય કે દિલ ફાડીને મૌજ આવી જશે.
હેપ્પી રિડિંગ 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
હા હા હા , સાચી વાત છે , રજનીભાઈ . . . મૌજ તો આપણે સૌ કરતા જ હોઈએ છીએ , પણ દિલ ફાડીને મૌજ કરવાનો સમય આ જ છે 🙂
રજનીભાઈ , બક્ષી’જીના બીજા કોઈ પુસ્તકો મને સુચવોને . . . આટલા બધા પુસ્તકોમાંથી રાહ કેવી રીતે કાઢવો ? હમ કન્ફયુઝ હોં ગયા હું ! . . . પહેલા જ ધડાકે અને અગ્રક્રમે વાંચવા જેવું બક્ષીજી’નું એકેય પુસ્તક ? ( મને ખ્યાલ જ છે , તેમના બધા જ પુસ્તકો ધાંસુ જ હશે અને એક પછી એક એમ હું બધા વાંચવાનો જ છું , પણ . . . તો પણ કોઈ સૂચન હોય તો . . . )
LikeLike
yuvrajjadeja said:
ખલીલ જિબ્રાન ની બક્ષી શૈલી માં અદભુત વાતો વાંચવાની મજા પડી , અને અતિ અદભુત ચિત્રો એ તો મોજ કરાવી . ઉપર આપની કોમેન્ટ ના સંદર્ભ માં હું કહીશ કે એમના બધા પુસ્તકો ધાંસુ નથી , એટલીસ્ટ મને તો નથી જ લાગ્યા . બેશક એ એક સારા લેખક હતા , એમાં કોઈ બે મત નથી . પણ હું તેમને ક્લાસિક ની કેટેગરી માં નથી મુકતો. એમની કેટલીક કૃતિઓ મને સાવ સામાન્ય દરજ્જાની લાગી છે, જેમાં “હથેળી પર બાદબાકી” નવલકથા નો સમાવેશ થાય છે.
LikeLike
નિરવની નજરે . . ! said:
પહેલા હું ચિત્રો નહોતો મુકવાનો , પણ . . . જયારે એક પોટ્રેઈટ નજરે ચડ્યું ત્યારે લાગ્યું કે બાકીના કેવા હશે અને તેમ ને તેમ આગળ જોતો જ રહ્યો . . . અને છેલ્લે આપ સૌ સાથે વહેંચવાની લાલચ રોકી ના શક્યો 🙂
હજી તો બક્ષી’ને વાંચવાની મારી શરૂઆત જ થઇ છે કે જેમાંથી મહતમ તેમના નિબંધ અને કટાર’માં સમાવિત લેખો જ છે ( કે જેમાં તેઓ મને જબરદસ્ત લાગ્યા છે ) અને જ્યાં સુધી નવલકથાઓ’ની વાત છે . . . તો નવલકથાઓ વાંચવામાં હું ખરેખર આળસુ છું ( બધા જ લેખકોની ) . . અત્યાર સુધી બધી થઈને માંડ પાંચ કે છ જ નવલકથાઓ વાંચી છે ! . . . પણ બક્ષી’ની ” પેરેલીસીસ ” ખરેખર અદભુત રહી . ( હથેળી પર બાદબાકી તો હજુ નથી વાંચી , માટે કહી ના શકું! ) . . . આગળ જેમ જેમ વંચાતું જશે તેમ તેમ આપ સૌ સાથે તે અનુભવો વહેંચીશ .
LikeLike
jagdish48 said:
મિત્ર,
તમે સાહિત્ય રસાસ્વાદરુપી પ્રેમ વાવ્યો, હવે અમારો આભાર લણી લો !
બક્ષીજી અત્યારે મને, વર્તમાન પત્રોના લેખક તરીકે યાદ છે. પુસ્તકો વાંચ્યા હશે પણ, એ સમયે તમારા જેટલી સમજણ નહીં હોય એથી યાદ નથી.
નાનકડું સુચન – પોસ્ટ લીન્કનું અંગ્રેજી કરી નાખો તો લાં…બી લાં….બી લિન્ક ન આવે, કારણ કે મારા જેવડું, મારું કોમ્પ્યુટર અને બીએસએનએલનું બ્રોડબેન્ડ આ લાંબી લીન્ક અને અ…ધ…ધ ફોટા ડાઊનલોડ કરીને હાંફી ગ્યું !
પણ વેઈટીંગ લેખે લાગ્યું…
LikeLike
નિરવની નજરે . . ! said:
વાવણી કર્યા બાદ લણણી તો કરવી જ રહી 🙂
અને હાં , જગદીશદાદા જયારે તમે વર્ડપ્રેસ’માં લોગઇન થયેલા હોય અને મારી પોસ્ટ વાંચતા હોવ ત્યારે એકદમ ડાબી બાજુએ ટોચ પર માઉસ’નું કર્સર લઇ જશો , તો ત્યાં તમને પોસ્ટ’ની એકદમ ટૂંકી કરેલી લીંક મળશે ( જે લોકોનો પોતાનો બ્લોગ હોય તે જ તે લીંક જોઈ અને મેળવી શકે છે . )
. . . અને ઈમેજ’નાં ત્રાસની ફરિયાદ તો મારા ઉપર પહેલેથી જ છે 😉 હજુ તો GIF ઈમેજીસવાળી મુવીઝ’વાળી પોસ્ટ તમે ખોલતા નથી . . નહિતર એ તો બે’થી ત્રણ મીનીટે ખુલે છે , પણ એકવાર પુરેપુરી ખુલી જાય પછી જુઓ તેની મજા . . . એ માટે જ દર સમયે હું લેખ’ની શરૂઆતમાજ નમ્ર વિનંતી કરું છું . . . . કે થોડી વાર ખમી જાજો બાપલીયાવ 🙂
LikeLike
પિંગબેક: ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi | ગુજરાતી પ્રતિભા પરિચય
સુરેશ said:
કાયમી નોંધ લઈ લીધી- બાકાયદા !!
પણ. ખલિલજી સાથે એમને પરણાવી દીધા, એ ન ગમ્યું !! બે લેખ અલગ કરવા જોઈતા હતા.
LikeLike
નિરવની નજરે . . ! said:
ખલિલ જિબ્રાન વિષે નાનું નાનું ઘણું સાંભળ્યું હતું અને કિશોરલાલ મશરૂવાળા અનુવાદિત પુસ્તક ” વિદાય વેળાએ ” સાથે મુલાકાત હજુ થઇ ન હતી ( ઘણી વાર હાથમાં આવતા આવતા રહી ગઈ 😦 ). . . ત્યાં જ બક્ષી’જીના આ પુસ્તક થકી તેમનો સારો એવો પરિચય થઇ ગયો . . . માટે તેમને મુક્યા વિના એકલો એકલો ક્રેડીટ ખાઈ જાઉં તો તો મને ગાલ-પચોલીયા થઇ જાય 🙂 માટે ખલિલ અને બક્ષી સાથે સાથે . . . સંગાથે સંગાથે .
LikeLike
સુરેશ said:
સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો . જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે . તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ . મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો .ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . .
———-
અદ્ભૂત……..
ખલિલદા કોઈ જવાબ નહીં.
ઈમેલમાં તમે જણાવ્યું હતું કે, આ અવલોકનીય છે.
અરે, ભાઈ… બધાં અવલોકનો અનેક ખલીલોનાં જ છે.
ક્યાંય , ક્યારેય, કશું પણ મૌલિક હોતું જ નથી. બધું ક્યાંકથી મળેલું , મળેલું અને મળેલું જ. સર્જનાત્મક લખાણો પાછળના વિચાર પણ આપણને મળેલ શિક્ષણ અને સંસ્કારના પ્રતાપે જ ને? કેટકેટલના આપણે ઓશિંગણ હોઈએ છીએ?
જ્યારે આપણે આમ વિચારતા થઈએ છીએ; ત્યારે કદાચ અનેક પાસા વાળા સત્યના હીરાની કોરની જરાક વધારે નજીક સરકતા થઈએ છીએ.
LikeLike
નિરવની નજરે . . ! said:
ક્યાંય , ક્યારેય, કશું પણ મૌલિક હોતું જ નથી. બધું ક્યાંકથી મળેલું , મળેલું અને મળેલું જ. . . . . સાચી વાત છે સુરેશદાદા . . . આ બધું જ જ્ઞાન અને ડહાપણ’રૂપી હવાઓમાં રહેતું જ હોય છે . . . જરૂર છે એક જીજ્ઞાસા’રૂપી શ્વાસ લેવાની . . . સત્ય’ની ખોજ’ની . . .
ખરેખર આપણે ઘણા બધાના ઓશિંગણ હોઈએ છીએ . . . સબળી સમજણ’નાં પણ અને નબળી માન્યતાઓ’નાં પણ . . . આખરે મૃત્યુ જ આપણ’ને આ ઓશિંગણ’થી મુક્ત કરશે . . . અને ત્યારે જ કયું ઓશિંગણ જરૂરી હતું તે નજર સમક્ષ તરવરશે . . . જીવન’નો અંત અને મૃત્યુ’ની શરૂઆત . . . એક ઓશિંગણ’નો અંત . . . થોડી વાર હવામાં મીઠી લહેરખીઓ પર . . . અને થોડી વાર બાદ બીજા ઓશિંગણ તરફ પ્રયાણ . . . . .
LikeLike
Heena Parekh said:
મોજ આવી ગઈ.
LikeLike
નિરવની નજરે . . ! said:
આભાર . . હીનાદીદી .
‘મોજ’ શબ્દ વિશેષ પસંદ પડ્યો 🙂 અને છેલ્લે લટકામાં . . . તમારું પણ પ્રદાન છે , એ બદલ તમારો આભાર .
LikeLike
Maulika said:
મોડા મોડા પણ ધસમસતા આવ્યા તમે તો… !! 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
ધસમસતુ રહેવું પડશે , તણાતુ રહેવું પડશે , પ્રવાહમાં રહેવું પડશે . . . નહિતર બક્ષી નામના પૂર’માં તણાઈ જશું !
મૌલિકા’જી તેમનું કોઈ વિચારવંત અને તાકીદે વાંચવાલાયક અને વસાવવા લાયક નિબંધ કે ફિલસુફી’નું પુસ્તક ધ્યાનમાં હોય તો જરા ધ્યાન દોરજો .
LikeLike
Maulika said:
ધસમસતા પ્રવાહમાં ખેંચી ના લે તો બક્ષી શેના..!! 🙂
ફિલસુફી માટે ‘આભંગ’ તો લઈ જ લેજો. સતત વિચારતા કરી મુકે એવી છે.
અમુક નવલકથા નિરાશ કરશે કદાચ પણ આકાર, ઝિન્દાની, સુરખાબ અને મારું નામ તારું નામ વિશેષ ગમે છે મને.
ઈતિહાસ પસંદ હોય તો અયનવૃત્ત અને અતીતવન ગમશે.
બાકી નિબંધ તો આંખ બંધ કરીને કોઈ પણ વાંચો… કંઈ ને કંઈ તો મળશે જ…
LikeLike
નિરવની નજરે . . ! said:
થેન્ક્સ મૌલિકા’જી હવે પછીની સફર ચિંધેલા વળાંકો પરથી જ વહેંણ લેશે 🙂
LikeLike
Prashant Goda said:
સરસ શ્રેણી ચાલુ કરી છે “બક્ષીબાબુ”ની અને ધ પ્રોફેટ મેં થોડું વાંચેલું છે પરંતુ વાંચની મજા ન આવતા પડતું મુકેલું.:) તમે કદાચ “સદાબહાર બક્ષી” નામની કોલમ “મુંબઈ સમાચાર ” વાંચતા જ હશો. ખુબ જ સરસ સરસ જુના લેખો પ્રકાશીત થાય છે.
LikeLike
નિરવની નજરે . . ! said:
નહિ . . . ‘ સદાબહાર બક્ષી ‘ કોલમ પ્રત્યે ધ્યાન નથી ખેંચાયું ! . . . બાકાયદા બક્ષી બ્લોગ પર પણ પહોંચી વળાતું નથી ! પણ જરૂરથી ત્યાં જઈને વાંચવાનો પ્રયત્ન કરીશ .
. . . અને હા , જિબ્રાન આજે નહિ તો કાલે નહિ તો પરમદિવસે તો જરૂર આકર્ષશે , ત્યારે જરૂર ટહુકો કરવા આવજો 🙂
LikeLike
Prashant Goda said:
ચોક્કસ…………… ધ જિબ્રાન સાહેબને વાંચીને જરૂર ટહુકો કરીશ 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
હમમ . . નવો Gravatar ! . . . કઈક મસ્ત ચિત્ર મુકો એટલે મજા આવે 🙂
LikeLike
Prashant Goda said:
Gravatar તો જુનો છે પણ વિચિત્ર ચિત્ર નથી મુક્યું 😉
LikeLike
Komal Jadeja said:
જિબ્રાન સાહેબ નો પરિચય આપની પોસ્ટ દ્વારા થયો 😉 ખૂબ જ સરસ. લેખક શ્રી બક્ષી વિષે તો ‘લીલી નસો માં પાનખર’ અને બક્ષીનામા ભાગ:૩ માં ‘રીવા’ સુંદર રચનાઓ છે. ‘પેરેલીસીસ’ આપણા ગુજરાતી સાહિત્યની શરૂઆત ની ‘મનોવૈજ્ઞાનિક નવલકથા’ તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે.. લખતા રહો..વંચાતા રહો..અને વાચતા રહો 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
પેરેલીસીસ હજુ હમણાં જ વંચાઈ છે . . . ખુબ જ અદભુત રીતે પિતા-પુત્રી’ના સંબંધોનું અને ખાસ તો એક પિતા’નું મનોમંથન વર્ણવ્યું છે . . . ખુબ જ અદભુત . ફ્લેશબેક’માં જઈને વાત કહેવાની અને અચાનક જ વર્તમાન’ની વાતો સાથે તેનું અનુસંધાન જોડવાની રીત કાબીલેદાદ હતી . બક્ષીનામા મેળવવાના પ્રયત્નો ચાલુ જ છે અને ‘ લીલી નસોમાં પાનખર ‘ પુસ્તક જરૂરથી વંચાશે . આભાર .
એક જ પોસ્ટ પર એક જ ઘરમાંથી આવેલ બંને પ્રતિભાવો સ્મરણીય રહેશે 🙂 આપનું સ્વાગત છે , મારી નાનકડી દુનિયા બની ચુકેલા મારા બ્લોગ પર .
LikeLike
hirenkavad said:
તમારા લીધે ખરેખર ખલીલ જીબ્રાન ને સ્પર્શ કરવાનો મોકો મળ્યો.. આભાર..!
LikeLike
નિરવની નજરે . . ! said:
મને પણ અન્ય થકી ખલીલ જિબ્રાન’નો અદભુત પરિચય થયો અને મેં આપ સૌ સાથે વહેંચ્યો . . . બસ એટલું જ 🙂
LikeLike
kajalAvee said:
can i share ur post as well at ma blog?
LikeLike
નિરવની નજરે . . ! said:
Indeed . . . nothing to ask 🙂
LikeLike
kajalAvee said:
thanx a ton
LikeLike