ટૅગ્સ
amish tripathi, અમીશ ત્રિપાઠી, નાગવંશ, નીલકંઠ, પુસ્તકો, મેલુહા ટ્રાયોલોજી, વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર, શિવ, સતી, Meluha Trilogy, Nag Vansh, Nagvansh, The Secret of Nagas
મેલુહા ટ્રાયોલોજીમાનું બીજું પુસ્તક ” નાગવંશ “ની શરૂઆત કઈક આમ થાય છે . . . શિવ’નાં નજીકના એક મિત્ર / સ્વજનની હત્યા થઇ ચુકી હોય છે ( પ્રથમ ભાગમાં જ ) અને હવે દુષ્ટ ” નાગ ” લોકો સતી’ની પાછળ પડી ગયા છે અને સતત તેનો પીછો થઇ રહ્યો છે . . .
” શિવ ” કે જે તિબેટનો એક બરછટ યોધ્ધા હતો અને સહસા જ તેને એક મહાન ઈશ્વરીય અવતાર ( નીલકંઠ – કે જે આવનારા સમયમાં સત્ય અને ન્યાયની સ્થાપના કરશે ) હોવાની માન્યતામાંથી પસાર થવું પડે છે . . . . તેની યાત્રા હવે મેલુહાં અને સ્વદ્રીપ’થી આગળ વધીને કાશી , મગધ , બ્રંગ , પંચવટી અને અયોધ્યા જેવા નગરો અને નર્મદા , પદ્મા , કાવેરી , ગંગા , ગોદાવરી , મધુમતી અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના કિનારે પણ ચાલે છે . . . . સમય જતા અવનવા રહસ્યો તેની આગળ ઘટસ્ફોટ થયા કરે છે . . . દિનબદિન નવા સાથીઓ જોડાતા જાય છે અને તે પરિવાર ઉપરાંત તેનું ખુદનું પરિવાર પણ આગળ વધે છે . . . તે સાથે જ કોઈ અણજાણ્યા જ શત્રુઓ / અનિષ્ટ સામી ક્ષિતિજે ઉદય પામી રહ્યું છે કે જેનું રૂપ / અણસાર કેવું હશે તેનો ખ્યાલ સુધ્ધા શિવ’ને નથી . . . તે તૈયાર છે તો બસ લડવા . . . અને જે પણ કાઈ સત્ય હોય તે સ્વીકારવા અને તેમાંથી એક નવું સત્ય જાણવા . . . કેમકે જેમ વિસ્મયનો કોઈ પાર નથી તેમ સત્ય પણ નિતાંત છે .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
મારા બ્લોગ’ની શરૂઆત જ થઇ હતી , ” મેલુહા ” શ્રેણીના પુસ્તકના પહેલા મણકાથી . . . ” મેલુહા ” . અને સમય જતા બીજો ભાગ પણ વંચાઈ ગયો ( ખરેખર તો આ ભાગ મારી પાસે પાંચ મહિનાથી પડ્યો છે . . . પણ છેક હવે તેને વાંચવાનો મેળ પડ્યો . . . તેના કારણોમાં એક તો એ કે હું એકસાથે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હોઉં છું અને તે પણ ક્યારે અધૂરું મુકાઈ જાય તેની ખાતરી નહિ 😉 )
મેલુહાનો બીજો ભાગ ” નાગવંશ ” પણ અત્યંત રોચક અને અદભુત વર્ણનોથી સુસજ્જ છે . કે જ્યાં પહેલા ભાગમાં નીલકંઠ વિશેની માન્યતાઓ , તેમનું મેલુહામાં આગમન , ત્યાની વ્યવસ્થા , નીતિનિયમો અને સમાજવ્યવસ્થાનું વર્ણન હતું . . . . . ત્યાં અહીંયા તેઓની યાત્રા હવે મેલુહાની સરહદો વટાવીને આગળ વધે છે અને શરુઆત થાય છે , ” નાગલોકો “નાં રહસ્ય અને તેમની નગરી શોધવાની કવાયત તરફે . . . . .
નાગવંશ એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ એટલું જ રોચક છે . કે જ્યાં ” મેલુહાં ” પ્રથમ મણકો હતો માટે તેના તરફનું ખેંચાણ હંમેશા વધારે જ રહેવાનું પણ તે પ્રથમ ભાગે જે રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને બીજા ભાગ તરફ લોકોની જે અપેક્ષા હતી તેની કસોટીએ આ પુસ્તક ખરું નીવડ્યું છે . તે જ પૌરાણિક કથાનક’ને એક અલગ અંદાજથી રજુ કરવા બદલ . હર પ્રકરણ પર એક નવું જ રહસ્ય . ધર્મ અને વિજ્ઞાનનું અદ્ભુત સમન્વય કરીને એક ધર્મવિજ્ઞાન કથાનું નિર્માણ .
આ ભાગમાં પણ પહેલા ભાગની જેમ જ પૌરાણિક પાત્રોનાં નામથી સુસજ્જ પાત્રોની ભરમાર છે . . . અહીંયા પ્રવેશ થાય છે . . . દિલીપ , ભૃગુ , પરશુરામ , ગણેશ , કાલી , કાર્તિક , આનંદમયી , ભગીરથ , અથીથીગ્વ , દ્ર્પકું , ચંદ્ર્કેતું , માયા , ગોપાલ , મોહિની અને દિવોદાસ જેવા રસાળ અને રહસ્યમય પાત્રોનો .
પૌરાણિક કથાઓના એ જ જુના અને જાણીતા મણકાઓને ફરી એક નવી કથામાં પરોવાઈને અપાયેલા અલગ જ સ્પર્શથી સમગ્ર કથા એક નવો કલેવર ધારણ કરે છે . . . અને તે પણ એક પણ તથ્ય અને પુરાણા સંદર્ભો મરોડ્યા વગર . ( જેમ કે : પરશુરામ’નું પાત્ર અને તેમના જીવન સાથે જોડાયેલી કથાને એક નવો જ સ્પર્શ અને એક અલગ જ દ્રષ્ટિકોણ અપાયો છે . ) ( તે જ રીતે ગણેશ અને કાલી’ની કથા પણ એક અનોખો જ આકાર ધારણ કરે છે . )
પુસ્તકમાં જે તે ઘટના કે પછી પાત્રો કે અન્ય નગરો’નાં નામકરણ પણ ખુબ જ સરસ અને તર્કસભર રજુ કરાયા છે . . . જેમકે ગણેશ’નું એક અન્ય નામ ગૌરીનંદન જ કેમ ? પંચવટી નગરી અને બ્રંગ નગરીનાં નામ પાછળનું તથ્ય અને તેનું રહસ્ય / વિવરણ .
પુસ્તકમાં મુખ્ય કથા ઉપરાંત અન્ય નાની અને રોચક પટકથાઓ પણ સુંદર રીતે કંડારાઈ છે ; જેમકે . . . બ્રંગજનોની રહસ્યમય બીમારી , કાલી અને ગણેશનો કથાનાં સમાંતર પ્રવાહમા પ્રવેશ , સિંહ અને વાઘ’નાં મિશ્રણ સમા ” સિંઘ ” ( LIGER ) પ્રાણીની રહસ્યમય શિકારની કથા , મગધના પંડિત અને નૃસિંહ મંદિરની કથા , બ્રંગનાં પૂર્વીય કિનારે સચવાયેલું રહસ્ય અને આખીરનું ” મૈક “નું રહસ્ય .
પુસ્તકમાં ઘણી જગ્યાએ બે પાત્રો વચ્ચેના પ્રસંગો અને તેમના સંબંધોની છણાવટ અને સંવાદ દર્શાવાયો છે કે જે ઘણી જગ્યાએ એક અલગ દ્રષ્ટિકોણ , અલગ કથા અને અલગ જ વિષયવસ્તુ રચે છે ; જેમ કે . . . શિવ અને દક્ષ , શિવ અને ગણેશ , શિવ અને પરશુરામ , શિવ અને દિલીપ , કાર્તિક અને ગણેશ , કાર્તિક અને કૃતિકા , કાલી અને ગણેશ , સતી અને ગણેશ , સતી અને કાલી અને આખરે પર્વતેશ્વર અને આનંદમયી વચ્ચે .
પુસ્તકનું છેલ્લું પ્રકરણ ખરેખર રોચકતા અને રહસ્યથી ભરપુર છે . . . કે જે માણસજાતની કેટલીયે એષણાઓ / મુશ્કેલીઓ અને તેના સહજ ઉપાયોનું પણ વિવરણ કરે છે ; જેમ કે . . . . ઈચ્છા . . . તેમાંથી સર્જાતું સર્જન . . . તેના કારણે જ રોપાતું વિસર્જનનું બીજ . . . અને ફરી તે જ બીજમાંથી રોપાતી ઈચ્છાઓ . . . . . નિતાંત ઘટતી ઘટનાઓ અને તેના અલગ અલગ દ્રષ્ટિકોણેથી જોવાયેલ તથ્યો . . . અને છેલ્લે , ” કેળવાતો સાક્ષીભાવ ” . . . . . . . પછી ભલે તે મુર્ખનો ” મૂઢ ” ભાવ હોય કે પછી જિજ્ઞાસુ’નો “ દિગ્મૂઢ ” ભાવ !
પુસ્તકમાં ધાર્મિક કથા અને તેના પાત્રો ઉપરાંત , વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર‘નો પણ સુંદર મેળાપ થયો છે . . . કે જેમાંથી પુષ્ઠ 38 પર આલેખાયેલો શિવ અને વાસુદેવ વચ્ચેની ગહન ચર્ચાનો એક અંશ અહીંયા રજુ કરું છું કે જે સુંદર છણાવટ’થી સુસજ્જ છે અને અંગત સ્તરે મને ખુબ જ પસંદ પડેલ છે . તમે પણ માણો , નિરવની નજરે . . !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
માણસ અને પશુ વચ્ચેનો ભેદ જાણો છો ? પંડિતે સવાલ કર્યો . , , , શું ? શિવે સામે પૂછ્યું .
” આપણે માનવો સાથે મળીને કામ કરીએ છીએ , સહિયારું લક્ષ્ય નક્કી કરીને ત્યાં સુધી પહોંચવા માટે આપણે એકબીજાનો સાથ સહકાર લઈએ છીએ . પેઢીઓથી ઉતરી આવતા જ્ઞાનની વહેંચણી આપણે એકબીજા સાથે કરીએ છીએ , જેથી કોઈને એકડે એકથી શરૂઆત નથી કરવી પડતી . ”
” પણ એમ તો હાથી અને સિંહ પણ ટોળામાં રહે છે તોયે આપણે એમનાથી વધુ સિદ્ધિ મેળવી છે ” શિવ બોલ્યો .
હાં , પણ સાથે જીવવું એટલે માત્ર સંપ – સહકાર નહિ . આપણે સાથે હોવા છતાં એકબીજા સાથે હરીફાઈ પણ કરતા રહીએ છીએ . ક્યારેક આપણી વચ્ચેની સ્પર્ધા યુદ્ધનું રૂપ પણ ધારણ કરી લે છે . કહેવાનો અર્થ એટલો કે માણસ એકલો કશું નથી . સારા ખરાબ દરેક કાર્ય માટે એકથી વધુ માણસની જરૂર રહે છે . અસ્તિત્વની ઉર્જાનો પ્રવાહ આપણા દરેકમાંથી વહેતો રહે છે અને એટલે જ આપણે સાથે મળીને જીવી શકીએ છીએ . , , , , , ” બરાબર ” શિવે હકાર ભણ્યો .
કહેવાય છે કે વિશ્વમાં સેંકડો પ્રકારની જીવનશૈલીઓ છે . જુદી જુદી સંસ્કૃતિના લોકો જુદી જુદી રીતે જીવતા દેખાય છે અને બધા માને છે કે અમે બીજાથી જુદા છીએ . શિવે પાછું માથું હલાવીને સંમતિ દર્શાવી . પરંતુ દરેક જીવનશૈલીનો ઝીણવટથી અભ્યાસ કરીએ , ગાળીએ તો છેવટે એમાંથી એટલું તારણ નીકળે કે મૂળ તત્વ બે જ છે , જેના આધારે લોકો જીવે છે – – પુરુષ અને પ્રકૃતિ . કોઈ સમાજમાં પુરુષ તત્વ વધુ જોવા મળે તો ક્યાંક સ્ત્રીતત્વ .
પણ એ કઈ રીતે ઓળખાય ?
” પૌરુષી જીવનશૈલી કડક કાયદા અને નીતિનિયમોને આધારિત હોય છે . રામચંદ્રના રૂપમાં આવેલા વિષ્ણુ જેવા કોઈ મહાન શક્તિશાળી નેતાએ ઘડેલા કાયદાને અહીં આખો સમાજ અનુસરે કે પછી ધાર્મિક માન્યતાઓ અને બહુમતીએ નક્કી કરેલા નિયમો બધાએ સ્વીકારવા પડે . એકવાર સ્થાપિત થઇ ગયેલા નિયમો સ્પષ્ટ હોય છે . પોતપોતાની રીતે તેનું અર્થઘટન કરવાની છૂટ કોઈને નથી હોતી . દરેક જણ એકસરખી રીતે , એક સરખા નીતિનિયમોનું પાલન કરે છે . કોઈ અનિશ્ચિતતાને સ્થાન નથી હોતું , આનું સૌથી મોટું ઉદાહરણ છે ” મેલુહાં ” ! વર્ષોથી નક્કી કરેલા માર્ગ પર ત્યાનો આખોયે સમાજ જીવે છે . સ્વાભાવિક રીતે જ ત્યાં સફળ થવા માટેવ્યક્તિએ સત્ય , કર્તવ્ય અને આત્મસન્માનના સિધ્ધાંત સાથે ચાલવું પડે . ”
અને જે સમાજમાં પ્રકૃતિ એટલે કે સ્ત્રીતત્વનો પ્રભાવ હોય ત્યાં ?
” અહી કોઈ કાયમી કાયદા કે નિયમ નથી હોતા . શું થઇ શકે ? શું બનવાની શક્યતા વધુ છે ? એ જોઈ વિચારીને લોકો પોતાના વાણી વ્યવહારમાં પરિવર્તન કરે છે . ઉદાહરણ તરીકે આવા સમાજમાં કોઈ એક રાજા કે નેતા પછી એના ઉતરાધિકારી તરીકે અમુકતમુક જ આવશે એ નક્કી નથી હોતું . કઈ વ્યક્તિ વધુ સમય સતાસ્થાને રહેશે કે રહી શકે એ જોઇને લોકો એને ટેકો આપે છે . કાયદા ભલે હોય , પણ જુદા જુદા સમયે , જુદી જુદી રીતે એનું અર્થઘટન થતું રહે છે . ક્યાંક વિરોધાભાસ દેખાય તોયે લોકો અકળાતા નથી . સમય અને સંજોગોની સાથે બધી વસ્તુમાં ફેરફાર થતા રહે છે . સ્વદ્રીપની જીવનશૈલી આવી છે . અહી એ લોકો સફળ થાય છે કે જે સૌન્દર્ય , સ્વાતંત્ર્ય અને તીવ્ર આવેશ કે ઉત્કટ ઝંખનાઓને પૂજે છે .
“ એનો અર્થ એવો થયો કે બંને જીવનશૈલી એકમેકથી સાવ જુદી છે . એમાંથી કોણ વધુ સારી કે ચઢિયાતી એ નક્કી કરવાનું શક્ય નથી અને એવી જરૂર પણ નથી ”
હાં . ” સૃષ્ટિમાં સંતુલન જાળવી રાખવા માટે બેઉની જરૂર છે ” , , , , એ કઈ રીતે ?
” પૌરુષી સિદ્ધાંતો પર ઉભી થયેલી સંસ્કૃતિ જ્યાં સુધી સ્થિર , મજબુત , શક્તિશાળી હોય ત્યાં સુધી એને વાંધો નથી આવતો . દરેક વ્યક્તિ એકસરખા કાયદાને માન આપે છે અને સમાજમાં શિસ્ત જળવાઈ રહે છે , પણ આવી સંસ્કૃતિ નબળી પાડવા લાગે ત્યારે ભયાનક પરિસ્થિતિ સર્જાય છે . લોકો બદલાવા તૈયાર નથી થતા . . જૂનીપુરાણી માન્યતાઓને જડ્તાભેર વળગી રહે છે અને બીજાઓ પાસેથી પણ આવી અપેક્ષાઓ રાખે છે . પરંપરાથી જુદો અવાજ ઉઠાવનારી વ્યક્તિને ગમે તે ભોગે દબાવી દેવાનો પ્રયાસ થાય છે . સંજોગો અને સમયની સાથે પરિવર્તન લાવવાની વાત એમને સ્વીકાર્ય નથી હોતી . અસુરો સાથે આવું જ થયું . ”
” અને આવા સમાજમાં હતાશ થઇ ગયેલા , ગૂંગળાવા લાગેલા લોકો બળવો પોકારે ત્યારે પ્રકૃતિલક્ષી જીવનશૈલી એમને મુક્તિની લાગણીનો અનુભવ કરાવે છે ! ”
હાં . જે સંસ્કૃતિમાં પ્રકૃતિ એટલે કે નારીતત્વ વધુ સબળ હોય ત્યાં જડતાને સ્થાન નથી હોતું . દરેક પ્રકારની આસ્થા અને માન્યતા ધરાવતા લોકો શાંતિથી સાથે રહી શકે છે . અહી વિવિધતામાં એકતા હોય છે . કોઈ જૂથ બીજા પર પોતાનો મત લાદવાનો પ્રયત્ન નથી કરતુ . અસુરોને પરાજિત કરનારા દેવો આ પ્રકારની જીવનશૈલી લઇ આવ્યા , પરંતુ વધુ પડતી સ્વતંત્રતા ક્યારેક સ્વછંદતામાં પલટાઈ જાય છે . સ્વાતંત્ર્ય , સર્જનશીલતાનાં ઓઠા હેઠળ આ સમાજમાં વધુ પડતા ભોગવિલાસ , પ્રમાદ , અનીતિ , ભ્રષ્ટાચારનો પગ પેસારો થવા લાગ્યો . ભગવાન રામના સમયમાં દેવોની આ જીવનશૈલીનાં પતનનો આરંભ થઇ ગયેલો . દુરંદેશી રામે જોઈ લીધેલું કે સમાજને ટકાવી રાખવા અને લોકોને એકસૂત્રે બાંધી રાખવા માટે ફરીથી સુનિશ્ચિત કાયદા અને નીતિનિયમો લાવવાની જરૂર હતી . જોકે બુદ્ધિશાળી હોવા ઉપરાંત એ વ્યવહારદક્ષ પણ હતા . લોકો પર જબરદસ્તી નિયંત્રણો લદાય તો બળવો ઉભો થાય અને દેવોની જીવનશૈલીને ખરાબ ગણાવે તો બધા નારાજ થાય એટલે રામે એક નવા પ્રકારની સમાજરચના ઉભી કરી અને એને ” સૂર્યવંશી માર્ગ “નું નામ આપ્યું .
તમને નથી લાગતું કે સમાજની જેમ જ દરેક વ્યક્તિની અંદર પણ પુરુષ અને પ્રકૃતિ , નર અને નારી , ચંદ્રવંશી અને સૂર્યવંશી જેવા તત્વો હોય છે ? શિવે પૂછ્યું .
હાં . દરેક માણસમાં આ બંને તત્વો થોડા થોડા પ્રમાણમાં હોય જ છે , પણ કોઈમાં પુરુષતત્વ વધુ હોય તો કોઈમાં સ્ત્રીતત્વ . તમને આ બંને પ્રકારની જીવનશૈલી વિષે કહેવા પાછળ મારો હેતુ એ જ છે કે અનિષ્ટ સામેના યુધ્ધમાં તમે જુદા જુદા પ્રકારના લોકોને એમની ભાષામા સમજાવી શકો . લડાઈ શરુ કરતા પહેલા તમારે અશુભ અને દુષ્ટતા સાથેનું લોકોનું વળગણ છોડાવવા માટે મથામણ કરવી પડશે .
” કોઈને અનિષ્ટ કે અશુભ સાથે વળગણ પણ હોઈ શકે ? શિવે આશ્ચર્યથી પૂછ્યું .
પંડિતે જવાબમાં માત્ર સ્મિત કર્યું . શિવે ઊંડો શ્વાસ ભર્યો .
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લેખક : અમીશ ત્રિપાઠી [ Link ] અનુવાદક : વર્ષા પાઠક કિંમત : 195 રૂ.
પ્રકાશક : આર.આર.શેઠ , અમદાવાદ ISBN : 978-93-82503-56-9
LINKS : Flipkart | Booksonclick | Gujaratibooks | Infibeam | Godelite
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
મેલુહામાં આલેખાયેલા શિવ’નું પાત્ર એક સતત શીખતા અને વિસ્મય પામેલા વિદ્યાર્થી જેવું છે . . . જ્યાં કશું જાણવા મળ્યું નથી કે પલોઠી વાળીને બેસ્યા નથી . . . . પછી ભલે તે કોઈ પ્રકાંડ પંડિત હોય કે પછી સામાન્ય સૈનિક હોય . . . આખરે કોઈ દુશ્મન જ કેમ ન હોય ! . . . .
બીજું , તે જરાય ધર્માંધ કે કટ્ટર નથી . વાર્તાના પ્રવાહમાં ઘણી એવી ક્ષણો છે કે જ્યાં તે આશ્ચર્ય અને વિસ્મય પામે છે ક્યારેક તો ગજબના અચંબિત થઇ જાય છે . . . પણ , આખરે સત્ય ગમે તેવું બિહામણું અને કુરૂપ કેમ ન હોય તેનો પ્રેમથી સ્વીકાર કરે છે . . . જાણે કે પરિવર્તન તેના જીવનનો ભાગ બની ગયું છે અને આખરે તે જ વ્યક્તિ પરિવર્તન લાવી શકે કે જે ખુદ પરિવર્તનને સમજી અને માણી શકતો હોય અને તેના કડવા ઘૂંટડા પણ ગળે ઉતારી શકતો હોય . માટે જ તે નીલકંઠ છે .
અમીશ ત્રિપાઠીએ આ પુસ્તક પોતાની પત્ની ( પ્રીતિ ) અને પુત્રને ( નીલ ) અર્પણ કરતા લખ્યું છે કે ,
એ લોકો અભાગિયા છે , જે સ્વર્ગની શોધમાં સાત સમંદર ખુંદી વળે છે .
પણ સદભાગી એ લોકો છે , જે એકમાત્ર અને સાચેસચા સ્વર્ગનો અનુભવ અહીંયા જ કરે છે , એમના પ્રિયજનોના સહવાસમાં . . .
હું ખરેખર સદભાગી છું .
{ અને હું પણ 🙂 }
renxkyoko said:
I just wish I could read your stuff here, ha ha ha. But it’s okay, the pictures are interesting.
LikeLike
નિરવની નજરે . . ! said:
besides the pictures , story rocks too . . . that’s tell of ” Shiv ” inspired from our beloved God ” Mahadev or Shiv ” .
have a look here , there you may find it’s English version .
1} http://www.goodreads.com/book/show/7913305-the-immortals-of-meluha
2} http://www.goodreads.com/book/show/11827808-the-secret-of-the-nagas
3} http://www.goodreads.com/book/show/12820793-the-oath-of-the-vayuputras
LikeLike
virajraol said:
મેં પ્રથમ ભાગ તમારી પહેલી પોસ્ટ વાન્ચ્યાના બીજા જ દિવસે ખરીદીને તે જ દિવસે વાંચી લીધો હતો અને એના બીજા જ દિવસે એજ દુકાનમાંથી તેનો બીજો ભાગ પણ ખરીદી લીધો હતો, જો કે મેં પણ એ વાંચવાનું ચાલુ તો કરી દીધું હતું પણ બ્રેક લઇ લઇ ને….. અને છેલ્લે જયારે ત્રીજો ભાગ બહાર પડ્યો ત્યારે મેં બીજો ભાગ પતાવ્યો હતો…..
બાય ધ વે, તમે જે ટુકડો બધાને ચખાડવા મુક્યો છે તે મેં પણ બે થી ત્રણ વાર વાંચેલો છે…..હવે લગભગ તો આજે જ ત્રીજો ભાગ પણ વાંચવાનું ચાલુ કરી દઈશ….. આ વાંચીને જ ફરી યાદ આવી ગયું…. 😀
એ સિવાય નાગવંશમાં ઘણી નવી નવી વસ્તુઓ જાણવા તો મળી પણ ઘણા પાર્ટ્સ પ્રીડીક્ટેબલ પણ લાગ્યા હતા….(ખાસ તો એન્ડ….જે મેં ગેસ કર્યો તેવો જ નીકળ્યો હતો.)
LikeLike
નિરવની નજરે . . ! said:
સાચી વાત છે . . . કેમકે કદાચિત મેલુહા પ્રથમ એવું પુસ્તક છે કે જે ભારતીય લેખક દ્વારા સિકવલ’નાં ધોરણે રજુ કરાયું છે ( બીજું કોઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી ) અને જ્યારે કોઈ કથાનક ત્રણ ભાગોમાં વિભાજીત થાય છે ત્યારે હંમેશા નદીના પ્રવાહને અનુસરે છે . . . પહેલા ધૂવાધાર એન્ટ્રી . . . મધ્યમાં શાંત અને જેને કળી શકાય તેવો પ્રવાહ . . . અને અંતમાં ધૂવાધાર ધોધ તરીકે પતન અથવા તો રૌદ્ર સ્વરૂપે સાગર સાથે સંયોગ !
. . . અંતનો અંદાજો મને પણ એ રીતે આવ્યો હતો કે જેવી રીતે પહેલા ભાગમાં કોઈ પણ વિસ્તારિત વર્ણન વિના જ , તે કથિત ઘટના ઘટી ગઈ હતી , તે મુજબ તે કથાનક ફરી અહીંયા દેખા દે તેવી શક્યતા હતી 🙂 { કોડવર્ડ’માં વાત કરવી ખરેખર અઘરી છે 😉 }
વાયુપુત્ર’નાં એંધાણ સારા મળ્યા છે , જોઈએ હવે હનુમાન’જીની એન્ટ્રી કેવી થાય છે 🙂
LikeLike
virajraol said:
હાહ્હા, અઘરું જ છે ને….એટલે જ મેં એક લાઈનમાં પતાવી દીધું હતું… 😉
અને હવે અંતમાં થતી બધી એન્ટ્રીઝ વિષે તો વાંચીએ ત્યારે ખબર પડશે…..
એજ વાત પર વાંચી લો ત્રીજો ભાગ અને રિવ્યુઝ જણાવો ઝટ…. 😀
જય હનુમાન!
LikeLike
નિરવની નજરે . . ! said:
ઓથ ઓફ વાયુપુત્ર તમારી પાસે પહેલા આવી છે . . . તો તે બુક વિષે પહેલી વાત તો તમારે જ કરવી રહી 😉
LikeLike
jagdish48 said:
રાજાશાહી અને લોકશાહી ના તફાવત જેવું..
પણ વધારે ગમ્યું –
એ લોકો અભાગિયા છે , જે સ્વર્ગની શોધમાં સાત સમંદર ખુંદી વળે છે .
પણ સદભાગી એ લોકો છે , જે એકમાત્ર અને સાચેસાચા સ્વર્ગનો અનુભવ અહીંયા જ કરે છે , એમના પ્રિયજનોના સહવાસમાં . . .
LikeLike
નિરવની નજરે . . ! said:
ગમ્યું એટલે જ લટકા કરીને લટકામાં મુક્યું 🙂
. . . મને હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે ઘણા લોકો મેં એવા જોયા છે કે જેઓની એક નાનકડી સુંદર દુનિયા હોવા છતાં તેઓ બહાર ધખારા મારતા હોય છે અને તે નાજુક ક્ષણોમાં રોકાણ નથી કરતા . . . અને આખરે જયારે એ સમય જતો રહે અને ઘરે બેસવાનો વારો આવે ત્યારે ઘરનાઓ પાસે તેની માટે સમય હોતો નથી !
હું હંમેશા કહેતો આવ્યો છું . . . આપણો ખજાનો આપણી પાસે જ છે : આરોગ્ય , પરિવાર અને સંસ્મરણો .
LikeLike
Prashant Goda said:
“મેલુહા” ખુબજ સરસ બૂક છે અને ભગવાન “શિવ” સામાન્ય વ્યક્તિ
થી કેવી રીતે ભગવાન બને છે તેની કથા છે.શિવના જીવનમાં આવતા ઉતર ચડાવ ખુબજ સરસ રીતે વર્ણવામાં આવ્યા છે.
તમે આપેલ રીવ્યુ અને દરેક વખતની જેમ આ વખતે પણ ખુબ સરસ પોસ્ટ.
પણ “નાગવંશ” હજુ વાંચવાની બાકી છે.
તમે “મૃત્યુંજય” લેખક શિવાજી સાવંત નવલકથા વાંચી હોઈ તો તેનો રીવ્યુ પણ લાખ જો.
LikeLike
નિરવની નજરે . . ! said:
હાં આપણી જ પૌરાણિક કથાઓનાં અમર પાત્રોને અલગ જ અવતારમાં માણવાની અનુભૂતિ કઈક ઔર છે .
” મૃત્યુંજય ” હજુ લેવાઈ નથી , પણ ભવિષ્યમાં જો લેવાશે તો જરૂર તમારી સૌ સાથે વહેંચીશ 🙂
LikeLike
Anila Patel said:
આપનો રીવ્યુ વાચવાની મજા આવી પુસ્તક વાચવાની ઇચ્છા થઇ ગઇ. હમણા તો આપના રીવ્યુથીજ સંતોષ માનવો પડશે.
LikeLike
નિરવની નજરે . . ! said:
મેલુહાં અને નાગવંશ બંને પુસ્તકો સાથે વાંચજો , અનિલામેમ . આ જ શ્રેણીનું ત્રીજું પુસ્તક ગુજરાતીમાં હમણાં જ આવશે , પણ ઇંગ્લીશમાં ત્રણેય ભાગ આવી ચુક્યા છે .
અને ક્ષમા કરશો , અનિલામેમ . . . પણ આ તો મને ગમેલ પુસ્તક વિશેની વાતો અને અંશ હતા . . . રીવ્યુ નહિ , કારણકે કોઈ પણ પુસ્તકને રીવ્યુ કરવાની મારી ક્ષમતા કે કાબેલિયત નથી . . . ફિલ્મો વિષે પણ તેમ જ સમજશો . . . જે તે ફિલ્મ વિશેની મોજીલી વાતો અને માહિતીઓ અને આખરે મને તે અંગત સ્તરે કેટલું ગમ્યું , તેનો અંગત વર્તારો 🙂
LikeLike
kajalAvee said:
may i have ur email add pls?
LikeLike
નિરવની નજરે . . ! said:
nirav.is.reading@gmail.com
LikeLike
vishal jethava said:
Fab. review by u…
Hats off! 😀
LikeLike
નિરવની નજરે . . ! said:
આભાર વિશાલભાઈ . . . ઘણા સમયે દેખાયા 🙂
LikeLike
vishal jethava said:
😀 એવું નથી..વાંચતો હોવ છું,કોમેન્ટ ના કરી હોય એવું બને.
LikeLike
નિરવની નજરે . . ! said:
આવતા રહો . . . ફાવતા રહો અથવા હં’ફાવતા’ રહો 😉 ફરી મળીએ . . .
LikeLike
Arvind Adalja said:
બંને સરસ પુસ્તકો છે, મેં હમણા જ પૂરા કર્યા અને ત્રીજા ભાગની ગુજરાતી આવૃતિની રાહ છે. આપે સુંદર રીતે પુસ્તકનો સાર કહ્યો છે. અભિનંદન !
LikeLike
નિરવની નજરે . . ! said:
આભાર અરવિંદદાદા . . . આપને પણ બંને પુસ્તકો ગમ્યા તે જાણી આનંદ થયો 🙂
આ અગાઉની પુસ્તકો અંગેની પોસ્ટ્સ વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપશો . Please click above on ” Books ” .
LikeLike
yuvrajjadeja said:
ચેતન ભગતનું સ્થાન પ્રાપ્ત કરનાર – અમીશભાઈ ! જોકે અનુવાદમાં મૂળ નવલકથા જેવી મજા નથી આવતી , પણ આપડી ભાષા એટલે આપડી ભાષા – બધું સમજાય તો ખરું ! ઓલા માં એકાદો અગત્ય નો શબ્દ નો સમજાય ને કશું ચુકાઈ જાય , પછી આગળ વાર્તામાં ગોથા ખાવા પડે ! પણ એનોય ઉપાય હાથવગો જ છે – ડીક્ષનરી !
ઓવરઓલ રસપ્રદ આર્ટીકલ ! થ્રિલ રસ ! 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
પહેલી વાત તો એ કે . . . મૂળ અંગ્રેજી પુસ્તક 400ની આસપાસ પન્નાઓનું હતું અને તેના અનુવાદમાં તેટલા પન્નાઓ ન રાખવાનું ઉપરથી કોઈ કારણ રહેતું હશે , તે ન્યાયે તે અંદાજીત 200ની આસપાસ પન્નાઓનું બની ગયું . . . પણ તેમ છતાં વર્ષાબેન પાઠકે ખુબ જ રસ જાળવી રાખ્યો છે . . . હાં , તમે આ સરખામણી ત્યારે કરી શકો કે જયારે એક જ પુસ્તકના બે અલગ અલગ અનુવાદકો દ્વારા અલગ અનુવાદ થયા હોય અને તે બંને અનુવાદને સરખાવવાનું બને . . . જેમકે પોલો કોહેલો’નાં ધ અલ્કેમિસ્ટનાં બે ગુજરાતી અનુવાદ થયા હતા { અનુવાદક’નાં નામ યાદ નથી } . . . અને મારા નમ્ર અને વિનમ્ર મતે પુસ્તક એક જ ભાષામાં વંચાવું જોઈએ ( ગુજરાતી અથવા અંગ્રેજી ) – નમ્ર મત પૂરો 🙂
અને શ્રી અમીશ’ની ખરી કસોટી હવે શરુ થશે . . . મેલુહાના ત્રણેય ભાગ પુરા થયા પછી . . . કારણકે હવે તેમના પર તે સફળતા પુનરાવર્તિત કરવાનું દબાણ રહેશે !
LikeLike
મારી જીંદગી ની ચેતના said:
બૂક તો વાચવી જ છે…. પણ લાઈબ્રેરી માં આ બૂક નો પહેલો ભાગ જ ઉપલબ્ધ છે. એટલે મારે બધા ભાગ ખરીદવા પડશે એટલે થોડો સમય રાહ જોવી પડશે…. આભાર નીરવ ભાઈ આ રીતે બૂક નું માર્ગદર્શન આપતા રહેજો,,,
LikeLike
નિરવની નજરે . . ! said:
થોડા દિવસ ખમી જાવ . . . પછી નિરાંતે ત્રણેય ભાગ સાથે જ વાંચજો 🙂
LikeLike
મારી જીંદગી ની ચેતના said:
ha a j karvu padse….
LikeLike
કાર્તિક said:
ઓકે ઓકે. હું મારા રીવ્યુનો ડ્રાફ્ટ પડતો મૂકી રહ્યો છું. સરસ પુસ્તક. અંગ્રેજીમાં ત્રણેય ભાગ વાંચ્યા પછી પણ હું આ બીજા ભાગનો ક્યારનોય રાહ જોતો હતો અને છેવટે ગયા અઠવાડિયે મંગાવ્યું. હજી ટેબલ પર જ છે. લાંબી મુસાફરી દરમિયાન જોડે લઇ જવાનો પ્લાન છે.
સરસ રીવ્યુ. મારે કંઇક શીખવું પડશે!! 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
કૃપયા ચાલુ પોસ્ટે કાન ખેંચવાની મનાઈ છે . . . યાત્રીગણ ( બ્લોગ વિઝીટર ) ધ્યાન આપે 🙂 કૃપયા આપનો ડ્રાફ્ટ પડતો ન મુકશો અને અમને ઓછા શબ્દોમાં વધુ વાત કહેવાની કળા’નું રસપાન કરાવશો { અહીંયા મારા બ્લોગ પર સૌ વધુ પડતી લંબાઈની ફરિયાદ કરે છે , મારા સહીત ( ગુજરાતી ટાઈપ કરતા કરતા આંગળીઓ દુખવા લાગે છે !) }
. . . અને બીજું એ કે કેટલાય દિવસોથી હું ઓનલાઈન શોપિંગમાં ” બક્ષીનામા ” શોધી રહ્યો છું , કૃપયા આપની પાસે કોઈ લીંક હોય તો આપશો . . . અત્યારે તેમની પેરાલીસીસ , 35 લેખો , 64 લેખો , સાહિત્ય અને સર્જન , અમેરિકા અમેરિકા પાસે છે { પહેલી બે વંચાઈ ગઈ , ત્રીજી/ચોથી મધ્યમાં પહોંચ્યો છું , અને છેલ્લી બાકી છે . }
બુક્સઓન ક્લિક’ની આ લીંક મને જરા વિચિત્ર લાગી ! શું આ ખરું પુસ્તક છે ? ( http://www.booksonclick.com/baxinama-p-167.html )
LikeLike
કાર્તિક said:
હા. આ નવી આવૃત્તિ છે (જૂની આવૃત્તિ ત્રણ ભાગમાં હતી!). ગો ફોર ઇટ!
LikeLike
smdave1940 said:
I cannot follow any thing. What are these dialogues? From where they are generated? Is there any reference of Vedas, Shvetashvatar or Isha or Katha Upanishadas or and old Puaranas written in unPanian Sanskrit language?
Is it a research work or simply a fiction?
Is it a hypothesis on Shiva where first is assumed some thing and then head is broken to prove with unsustainable material and defective logic.
Is it just like “Head I win, Tail you lose, just like a bit, whim, stunt, blunt arrow”
LikeLike
નિરવની નજરે . . ! said:
નહિ દવે સર . . . આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા જ છે ( Simply fiction ) કે જેમાં પાત્રો તરીકે લેખકે પૌરાણિક પાત્રો અને કથાનકો’ને શબ્દોરૂપી દેહ આપ્યા છે ( અહીંયા શિવ / સતી / ગણેશ . . . )
ત્રણ ભાગમાં . . . 1) મેલુહાં 2) નાગવંશ 3) વાયુપુત્રની સૌગંધ .
LikeLike
smdave1940 said:
નિરવભાઈ, જો આ કાલ્પનિક કથા હોય તો સારી વાત છે. પણ જો પુરાણોની વાતો માંથી તારવણી હોય તો આઘાત જનક લાગે છે. કારણ કે શિવ, અગ્નિ-રુદ્ર તરીકે ઋગ્વેદમાં છે. રુદ્ર-શિવ તરીકે યજુર્વેદ સામવેદ અને અથર્વવેદમાં છે. ઉપનિષદોમાં તે પરમાત્મા ઇશ્વર તરીકે છે, શૈવ-પુરાણોમાં તે મહેશ્વર પરમેશ્વર તરીકે છે અને કેટલીક કુદરતી પ્રક્રીયાઓને કથાનક સ્વરુપ આપવામાં આવ્યું છે. કેટલાક વીરપુરુષો થયા તેમને રુદ્રના અવતાર ગણ્યા અને ક્યારેક તેમને રુદ્ર તરીકે જ ગણવામાં આવ્યા. જેમકે વિરભદ્ર, મહાકાલ, (બીજા વિષે મને બરાબર નથી. કારણ કે શંકરાચાર્ય અને વેદો અવતારવાદને પુષ્ટિ કરતા નથી. પણ હનુમાન વિષે એમ વાત છે કે તે પવનપુત્ર કહેવાય છે. મરુત્ ના પુત્ર મારુતી. મરુત્ ને ઋગ્વેદમાં રુદ્રપુત્રાઃ કહ્યા છે. હનુમાન પવનવેગે ધસી જાય એટલે તેમને મરુત્ પુત્ર કહ્યા હશે. અને પવન રુરવાટા કરે એટલે તેને રુદ્ર પુત્ર કહ્યા હશે. આમ હનુમાન કાવ્યની ભાષામાં રુદ્રના પૌત્ર થયા. પૌત્રને દાદાનું નામ આપવાની પ્રણાલી આમેય છે.
LikeLike
નિરવની નજરે . . ! said:
પુરાણો સંબંધિત સર્વે માહિતી આપવા બદલ આભાર , દવે સર . . . અને મને ખ્યાલ છે ત્યાં સુધી હનુમાનજી રુદ્ર’નાં અગ્યાર’માં ( અંશ ) અવતાર મનાયા છે .
LikeLike
રાજા said:
ત્રણેય બુક ની પીડીએફ ફાઈલ ગુજરાતી માં ડાઉનલોડ કરવા માટે ની લીંક મોકલો please……
LikeLike
નિરવ said:
સોરી..મને આવી કોઈ લિંકસ’ની જાણ નથી.
LikeLike