ટૅગ્સ
આચાર્ય ક્ષિતિમોહન સેન, કવિતા, ગાંધીજી, ચબરાકિયા, ટૂંકી વાર્તાઓ, નંદલાલ બોઝ, નિબંધ, પાર્શ્વ પ્રકાશન, પ્રકાશભાઈ વેગડ, પ્રવાસ, મૈત્રેયી દેવી, યુરોપયાત્રિર, રવીન્દ્રનાથ ટાગોર, વિક્ટોરિયા ઓકામ્પો, શાંતિનિકેતન, સ્વર્ગેર કાછાકાછી, હાસ્યપ્રસંગો, હાસ્યેન સમાપયેત, Epigrams, Gandhiji, Kshitimohan sen, Maitreyi devi, Nandlal bose, Paarshv Prakashan, Prakashbhai Vegad, Rabindrnath Tagore, Ravindranath Tagore, Ravindrnath Tagore, Shantiniketan, Victoria Ocampo
સંપાદક શ્રી પ્રકાશભાઈ વેગડે અસંખ્ય ગુજરાતી / બંગાળી / હિન્દી અને અંગ્રેજી ગ્રંથ , પુસ્તક , સામયિકો અને સંદર્ભ સુચીઓનો આશ્રય લઈને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના જીવનની એ હળવી અને રમૂજથી ભરપુર બાજુ આપણી સમક્ષ ગુજરાતી ભાષામાં મુકવાનો પ્રયાસ કર્યો છે કે જે પહેલા ક્યારેય ઉપસ્થિત નહોતી .
આ પુસ્તકમાં ગુરુદેવ ટાગોરની એક કવિ , ચિત્રકાર કે પછી મહાન દાર્શનિક છબીથી હટીને , તેમની એક અત્યંત મનમોહક અને ખુશનુમા છબી આલેખાઈ છે કે જે તમારી તેમની પહેલી ઝલકથી લઈને માંડીને અત્યાર સુધીની સાંભળેલી બધી જ દંતકથાઓને એક નવા જ કોણથી આલેખશે . તેમની ટૂંકી વાર્તાઓ , પત્રાવલીઓ , પ્રહસનો , નિબંધ , પ્રવાસવર્ણનો અને કવિતાઓમાંથી તારવેલા આ અંશો છે .
નવી તેમજ જૂની પેઢીને . . . એક હાસ્ય અને સહજતાથી તરબોળ રવીન્દ્રનાથ ટાગોરનો વધુ ને વધુ પરિચય થાય તે હેતુથી આ પોસ્ટ રજુ કરું છું . અને આટલું સાદું , સુંદર અને સહજ પુસ્તક તૈયાર કરવા બદલ પ્રકાશભાઈ વેગડનો આભારી છું . તો માણીએ થોડા અંશો કે જે મને ટચી ગયા ! મતલબ કે સ્પર્શી ગયા 😉 . . . તો ચાલો ફરી રવીન્દ્ર્સફરે . . .
આ પહેલાની રવીન્દ્ર સફરના પગથીયાઓ :
1} ચાલો રવીન્દ્ર સફરે . . ! – પ્રથમ પગલું 2} ચાલો રવીન્દ્ર સફરે . . ! – દ્રિતીય પગલું
3} ચાલો રવીન્દ્ર સફરે . . ! – તૃતીય પગલું 4} પાંદડે પાંદડે રવિ
5} રવીન્દ્રનાથ સાથે વાંચનયાત્રા
વિક્ટોરિયા ઓકામ્પો સાથેનો વિનોદ
[ Page 15 / Chapter 1 – રવીન્દ્રનાથનો અસલી ચહેરો ]
એક દિવસ ટાગોરના કહેવાથી ઓકામ્પોએ પ્રખ્યાત ફ્રેંચ કવિ ‘ બોદલેર ‘નાં ” Invitation & Voyage ” કાવ્યનો અંગ્રેજી અનુવાદ કરી સંભળાવ્યો . ત્યાં તો રવિબાબુએ હસીને કહ્યું : મને તારો આ ફર્નીચર કવિ નાં ગમ્યો ! ઓકામ્પો હસી પડ્યા . તેમણે કહ્યું કે : મારો અનુવાદ એટલો ભયંકર હતો કે તેણે ફ્રાન્સના એક મહાન કવિને ‘ ફર્નીચર કવિ ‘ બનાવી દીધો ! ખરેખર ખરાબ અનુવાદ ક્યારેક ઘાતકી સિદ્ધ થાય છે !
કવિએ વિદાય લીધી ત્યારે મેડમ ઓકામ્પોએ તેમને એક આરામખુરશી ભેટ આપેલી . એ કદીયે તેમનાથી વિખુટી પડી નહોતી . આજે પણ એ શાંતિનિકેતનનાં સંગ્રહાલયમાં સચવાયેલી છે . કવિશ્રી અવારનવાર તેનો ઉલ્લેખ કરતા . એક પત્રમાં તેમણે લખ્યું છે : હું તારી ખુરશીમાં દિવસે મોટા ભાગે ને રાત્રે તો એથીયે વધારે ખૂંચ્યો રહું છું . તારી એ ખુરશીએ બોદ્લેરના એ કાવ્યનું મને ઊર્મિસભર અર્થઘટન કરી આપ્યું , જેનું મેં તારી સાથે પઠન કર્યું હતું .
સ્વર્ગેર કાછાકાછી
[ Page 27 / Chapter 2 – રવીન્દ્રનાથનો પત્રવિનોદ ]
મૈત્રેયી દેવી પ્રત્યેના સ્નેહનું એક રમ્ય દ્રષ્ટાંત સ્વયં તેમના જ શબ્દોમાં માણીએ : ( મૈત્રેયીદેવી લિખિત સંસ્મરણોમાંથી )
તે દિવસે વિદાય લેતી વખતે તને નકામો ઠપકો આપ્યો . કશું મનમાં લાવીશ નહિ હોં , ડાહી છોકરી ! તું પાસે હોય છતાં ગુસ્સો બતાવવા માટે મારે શું ઘરના માણસોને બોલાવવા ! ! !
“જીવનસ્મૃતિ” અને “છેલેબેલા”માં વિનોદ
[ Page 32 / Chapter 3 ]
કાયદાના અભ્યાસ માટે જયારે રવીન્દ્રનાથને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા ત્યારે , થોડા સમય માટે તેઓ લંડનમાં એક શિક્ષક દંપતી મી બેકરના પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા . તેમણે એ દંપતીનો પરિચય આપતા લખ્યું છે કે : તેઓ વિદ્યાર્થીઓને પોતાના ઘરે રાખીને પરીક્ષાઓ માટે તૈયાર કરતા . તેમના ઘરમાં નમ્ર અને યુવાન સ્ત્રી સિવાય બીજી એક પણ આકર્ષક વસ્તુ નહોતી ! આવા શિક્ષકોને શા માટે શિષ્યા મળી આવતા હશે એ સહેલાઈથી સમજાય જાય તેમ છે . એના જેવા માણસને સ્ત્રી કેવી રીતે મળી જાય છે તેનો વિચાર દયા ઉપજાવે તેવો છે . મીસીસ બેકરનો એક માનીતો કુતરો હતો .જયારે મી બેકર પોતાની સ્ત્રી પર ગુસ્સે થતા ત્યારે તેઓ પોતાની બધી રીસ એ કુતરા પર ઠાલવતા , એટલે મીસીસ બેકરની લાગણીઓનું ક્ષેત્ર તે કુતરાને લીધે જરા વિશાળ થયું હતું .
– – – – – – – – – – – – – – – – – – – – – –
[ Page 32 / Chapter 3 ]
એક વાર તેઓ પોતાના ભાઈ જ્યોતીન્દ્રનાથની સાથે કુટુંબની જમીનદારી જોવા ગયેલા . “” એટલામાં એક વાઘ ત્યાં છે એવી ખબર આવી . એટલે જ્યોતીન્દ્રે પોતાની સાથે મને પણ તે વાઘનો શિકાર કરવાને લઇ લીધો . મારી પાસે કઈ હથિયાર પણ નહોતું ! જંગલમાં દાખલ થતા પહેલા અમે અમારા જોડાઓ બહાર મુક્યા અને ઉઘાડે પગે જંગલમાં પેઠા . છેવટે અમે વાંસની ઝાડીમાં ચાલવા લાગ્યા અને તેની કાંટા જેવી ડાળીઓ કાપીને બનાવેલ રસ્તે હું જ્યોતીન્દ્રની પાછળ લપાતો લપાતો ચાલતો હતો . છેવટે શિકાર થયો , પણ દેવયોગે જો એ વાઘે મારા પર પોતાનો પંજો ઉપાડ્યો હોત તો તેને મારવા મારી પાસે પગમાં જોડું પણ નહોતું !!
અપરિચિત ( 1914 )
[ Page 35 / Chapter 4 – ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]
મારા પિતા એક કાળે ગરીબ હતા . વકીલાત કરીને તેઓ પુષ્કળ પૈસો કમાયા પણ એ ભોગવવાનો તેમને એક પણ પળનો સમય મળ્યો નહિ . મરતી વખતે તેમણે છુટકારાનો જે શ્વાસ મુક્યો એ જ તેમની પહેલી ફુરસદ હતી .
– – – – – – – – – – – – – – – – – – – – – –
પ્રાયશ્ચિત ( 1984 )
[ Page 42 / Chapter 4 – ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]
સાધારણ માણસો તરફ અનાથબંધુ ખાસ અવજ્ઞાની નજરે જોતા હતા , કારણ કે એ લોકો અત્યંત સામાન્ય માણસો છે ; અને અસાધારણ માણસો પ્રત્યે તેમને બિલકુલ માન નહોતું , કારણકે તેમને ખાતરી હતી કે ” હું ધારું તો તેમના કરતાયે વધારે અસાધારણ બની શકું છું “ અનાથબંધુની ખ્યાતી , સુખસંપતી , સૌભાગ્ય વગેરે બધુયે દેશકાળથી પર અસંભવિતતાનાં ભંડારમાં ગુપ્ત હતું .
વિધાતાએ તેમને વાસ્તવરાજ્યમાં એક પૈસાદાર સસરો અને સુશીલ સ્ત્રીનું દાન કર્યું હતું .
યુરોપયાત્રિર ( 1891 )
[ Page 61 / Chapter 6 – નિબંધ , પ્રવાસ , કવિતા વગેરેમાં વિનોદ ]
અહીં રસ્તા પર ફરવાની મજા પડે છે . કોઈ સુંદર ચહેરો નજર પડે જ .શ્રીમાન દેશાનુરાગ માટે શક્ય હોય તો મને માફ કરે . માખણ જેવા સુકોમળ શુભ રંગ ઉપર જરા પાતળા ચળકતા હોઠ , પ્રમાણસર નાક અને લાંબી પાંપણોથી યુક્ત નિર્મળ નીલનેત્ર જોતા જ ઘરથી દુર હોવાનું દુખ દુર થઇ જાય . શુભેચ્છકો શંકાશીલ બનશે અને વિચારમાં પડશે . પ્રિય મિત્રો મશ્કરી કરશે , છતાં મારે એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે સુંદર ચહેરો મને સુંદર લાગે છે .
સુંદર હોવું અને મધુર રીતે હસવું એ જાણે મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી શક્તિ છે . પરંતુ દુખની વાત છે કે મારા ભાગ્યે એ હાસ્ય આ દેશમાં મને ઘણા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે . કેટલીયે વાર રાજમાર્ગ પર જતા કોઈ નીલનયના પાન્થરમણિની બરાબર સન્મુખ આવી જતા જ તે મારા ચહેરા તરફ જોઇને હાસ્ય અટકાવી શકતી નહોતી . ત્યારે બુમ પાડીને કહેવાની ઈચ્છા થાય છે કે , સુંદરી મને હાસ્ય બહુ ગમે છે , પણ આટલું બધું નહિ . . . કે નીલાબ્જ નયની , હું તો કોઈ અંગ્રેજની જેમ અસભ્ય લાગે તેવું ટૂંકું ખમીસ અને વધારે પડતી લાંબી નેતરની ટોપલી જેવી ટોપી પહેરતો નથી . તો પછી આ હાસ્ય શું જોઇને ?
કાવ્યપ્રસુતી
[ Page 68 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]
રવીન્દ્રનાથના ચિત્રોની એક પ્રદર્શની કોઈ શહેરમાં યોજાઈ હતી . આથી તેઓ નંદલાલ બોઝ અને આચાર્ય ક્ષિતિમોહન સેન સાથે ટ્રેનમાં જઈ રહ્યા હતા . એકાએક તેઓ મનોમન કોઈ ગીતની ધૂન ગણગણવા લાગ્યા . એ જોઇને બંને મિત્રોને ખ્યાલ આવી ગયો કે તેમને કાવ્યસ્ફૂરણા થવા લાગી છે . આથી તેમને ખલેલ ન થાય એ આશયથી બંને જણા એક પછી એક ધીરેથી બાથરૂમમાં ચાલ્યા ગયા . થોડી વારમાં આવ્યા ત્યારે કવિએ મલકાતા કહ્યું : તમે અહી નહોતા એ દરમ્યાન મને કાવ્યપ્રસુતિ થઇ ! ” અમને ખબર છે ” ક્ષીતીબાબુએ હસતા હસતા કહ્યું , ” પ્રસુતીવેળાએ પુરુષોની હાજરી નિષિદ્ધ હોઈ અમે બાથરૂમમાં ચાલ્યા ગયેલા ! “ એ સાથે ત્રણે જણ ખૂબ હસ્યા .
– – – – – – – – – – – – – – – – – – – – – –
ઝેર
[ Page 70 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]
ગાંધીજી 1925માં શાંતિનિકેતન ગયેલા ત્યારે રવીન્દ્રનાથે તેમના સન્માનમાં પ્રીતિભોજન યોજ્યું હતું . અલબત ગાંધીજીનો આહાર જુદો હતો , તેમ છતાં રવિબાબુની થાળીમાં પુરીઓ જોઈ તેમણે ટકોર કરી : તળેલી પુરીઓ ઝેર થઇ જાય છે !
ટાગોરે હસીને કહ્યું કે : એ ઝેર ઘણું ધીમું હોવું જોઈએ ! હું મારી આખી જિંદગી પૂરી ખાતો આવ્યો છું , પણ એનાથી મને કોઈ નુકશાન થયું નથી !
– – – – – – – – – – – – – – – – – – – – – –
ટાલ
[ Page 71 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]
એક વાર કોઈ ટાલવાળા ભાઈ ગુરુદેવને મળવા આવ્યા . તેમની એકદમ લીસી અને ચળકતી ટાલ જોઇને તેમણે હસતા હસતા કહ્યું કે : ચંદ્ર જેવા ચહેરાઓ ઘણા જોયા છે , પણ ચંદ્ર જેવી ટાલ આજે જ જોઈ !
એ ભાઈએ પ્રસન્ન થતા કહ્યું : મારા પિતાજીની પણ આવી જ ટાલ હતી !
ગુરુદેવે મલકાતા કહ્યું : તું તો જબરો આજ્ઞાકારી પુત્ર જણાય છે !
સંપાદક : પ્રકાશ વેગડ કિંમત : 60 રૂ.
પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન , નીશાપોળ , ઝવેરીવાડ
રીલીફ રોડ , અમદાવાદ – 380001
લટકામાં . . !
( ” સ્વર્ગની લગોલગમાંથી ” ) / [ Page 78 / Chap. 8 – હાસ્યોક્તી અને હાસ્યકથનો ]
આપણા દેવો બહેરા છે અને એટલે તેમને જગાડવા માટે આટલો બધો ઘોંઘાટ કરવો પડે છે !
તારાપ્રસન્નની કીર્તિ ( 1891 )
[ Page 38 – Chap.4 / ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]
દાક્ષાયણીને દ્રઢ વિશ્વાસ હતો કે વિદ્યામાં , બુદ્ધિમાં ને શક્તિમાં મારા પતિની તોલે આવે એવું દુનિયામાં કોઈ નથી . તે ઘણી વાર આગ્રહ કરીને તેમના લેખો સાંભળતી , પણ એમાનું કશુયે એને સમજાતું નહિ અને જેમ ન સમજાતું તેમ તેને પોતાના પતિની બૌદ્ધિક શક્તિ પ્રત્યે વધારે અહોભાવ જન્મતો !
તેણે લગ્ન પૂર્વે કૃતીવાસનું રામાયણ વાંચ્યું હતું , કાશીદાસનું મહાભારત વાંચ્યું હતું , કવિ કંકણ- ચંડી પણ વાંચી હતી અને કથાઓ પણ વાંચી સાંભળી હતી . એ બધુયે એને નીતર્યા નીર જેવું સાફ સમજાતું હતું , એટલે સુધી કે અભણ માણસ પણ અનાયાસે સમજી શકતા . પણ સંપૂર્ણપણે દુર્બોધ બનવાની આવી અજબ શક્તિ પોતાના પતિ સિવાય બીજા કોઈનામાં એણે કદી જોઈ નહોતી ! તે મનોમન કલ્પના કરતી કે આ ચોપડી જયારે છપાશે અને જયારે એનો એકેય અક્ષર કોઈ સમજી શકશે નહિ ત્યારે આખા દેશના માણસો દંગ થઇ જશે !
તેથી તેણે સેંકડો વાર પતિને કહ્યું હતું કે : આ બધું તમે છપાવો !
– – – – – – – – – – – – – – – – – – – – – –
* * * *
[ Page 38 / Chap.4 / ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]
એક દિવસ એક અજાણ્યા ગૃહસ્થની સાથે મારો પરિચય થયો . તેમણે તરત પૂછ્યું , ” તમે જ નિર્ઝરીણી દેવીના પતિ ને ? ”
મેં કહ્યું : હું તેમનો પતિ છું કે નહિ એનો જવાબ હું આપવા ઈચ્છતો નથી , પણ તે મારી સ્ત્રી છે તે વાત એટલી જ સાચી !
બહારના લોકોની સામે સ્ત્રીના પતિ તરીકેની પ્રખ્યાતી મેળવવી એને હું ગૌરવનો વિષય સમજતો નથી .
ચબરાકિયા \ Epigrams
[ Page 54 / Chap. 6 – નિબંધ , પ્રવાસ , કવિતા વગેરેમાં વિનોદ ]
a) સપનું એ પત્ની છે . એણે તો બોલવું જ રહ્યું ; ઊંઘ પતિ છે , એ ચુપચાપ સહન કરે છે !
b) સંભવે અસંભવને પૂછ્યું કે ; તારું રહેઠાણ ક્યાં છે ? એણે જવાબ આપ્યો : નપુંસકોનાં સપનામાં
c) માણસ પશુ હોય છે ત્યારે એ પશુથી પણ વધારે નઠારો હોય છે .
d) તમે જ છો એ તમને નથી દેખાતું અને જે તમને દેખાય છે તે તમારો પડછાયો છે .
e) આંખ પોતાની દ્રષ્ટિ પર ગર્વ નથી કરતી , પણ પોતાના ગોગલ્સ પર કરે છે !
kavadhiren said:
બસ, જોરદાર…..!!!!
LikeLike
નિરવની નજરે . . ! said:
🙂 🙂
LikeLike
yuvrajjadeja said:
ટાગોર વિષે આટલું બધું ક્યારેય ન જાણી શક્યો હોત જો નીરવ ની નજરે નિહાળવાનો લહાવો ન મળ્યો હોત …. પ્રભુ જ્ઞાનમાં અભિવ્રૂદ્ધી કરાવવા બદલ …. થેન્ક્સ. અને વારંવાર ટાગોર વિષે વાંચીને ધરાવાને બદલે પ્યાસ વધતી જ જાય છે એથી ટાગોર વિષે આવી બીજી કોઈ પુસ્તક હાથ લાગે તો વાંચી જ લેજો …. અને પછી અમને આસ્વાદ કરાવજો
LikeLike
નિરવની નજરે . . ! said:
ગુરુદેવ વિશેનું આ પુસ્તક તો બહુ વિચિત્ર રીતે હાથ લાગ્યું ! . . . બુકફેરમાં પુસ્તકોના થપ્પા નીચે ધૂળ ખાતું પડ્યું હતું !! . . . એ પણ માત્ર એક જ નંગ . . . અને તેને ઉપાડી પણ લીધું આ જ ” નંગે ” 😀 . . . . બીજું કે તમારા લોકોના ધ્યાનમાં પણ ટાગોર વિશેનું કોઈ સારું પુસ્તક હોય તો જરૂર જણાવજો . . . તો આ પ્રભુ તમને આશીર્વાદ આપશે 😉
LikeLike
સુરેશ જાની said:
‘આ નંગ’ ને આ નંગના નમસ્કાર!
આવા શોખ હોવા માટે હાર્દિક અભિનંદન.
LikeLike
નિરવની નજરે . . ! said:
પહેલી વાર કોઈ ‘ નંગ ‘ ને નમસ્કાર મળ્યા 😀
” નંગ ” ઝગમગી ઉઠ્યું 🙂
LikeLike
Prashant Goda said:
“રવિ ” પ્રત્યેનું આકર્ષણ જાણે વધતું જાય છે,જાણે કે હિપ્નોટાઈજ કરી લીધા હોઈ તેવું જણાય.
ખુબજ સરસ પેહલા જેવી જ સફર રહી.
LikeLike
નિરવની નજરે . . ! said:
હાં , આ રવિ જટ સમજાય જાય તેવા નહોતા . . . તેમની પ્રતિભા અને તેમનું ડહાપણ તેમની દાઢીની જેમ જ ઘણા ફાંટાઓ અને વિષયવૈવિધ્યમાં વહેચાયેલું હતું . . .
અને હા પેહલા નહિ , પણ પહેલા 😉 અહીં નેગેટીવ માર્કિંગની સીસ્ટમ છે , તમારી જાણ સારું 🙂
LikeLike
Prashant Goda said:
માતૃભાષા ગુજરાતી હોવા છતાં અવરેજ માર્ક્સ જ મારે ગુજરાતી વિષયમાં આવતા, છતાંપણ ધ્યાન રાખીશ. 😉
જોહુકમ મેરે આકા 🙂 🙂 🙂 🙂 🙂
LikeLike
shahujvaln said:
વાહ ભાઇ વાહ, મજા આવી ગઇ. મે M.J. Library મા ૧૨-૧૫ વર્ષ પહેલા ગુરુદેવનુ પુસ્તક વાચ્યું તું. નામ તો યાદ નથી પરતું આ પોસ્ટ જોઈ ને હવે લાગે છે ફરી ગુરુદેવ ને વાચંવા નો ટાઈમ આવી ગયો છે. 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
આભાર ઉજ્જવલભાઈ , આપનું સ્વાગત છે , રવીન્દ્રસરિતાને કિનારે .
આશા છે કે આપે આ પહેલાની રવીન્દ્રનાથ ટાગોરની પોસ્ટ્સનો આનંદ પણ લીધો હશે , કે જે ઉપર જ એકસાથે આપેલી છે .
ફરી મળીશું . . . ફરી કોઈ પુસ્તકના પાને 🙂
LikeLike
પિંગબેક: પ્રકાશ વેગડ, Prakash Vegad | ગુજરાતી પ્રતિભા પરિચય
સુરેશ જાની said:
‘વિજળી અને વાંસળી’ વિશે એક લેખની લિન્ક ઈમેલથી મોકલું છું.
LikeLike
નિરવની નજરે . . ! said:
ખુબ જ અદભુત . . . વીજળીનું સંગીત સાંભળો અહીંયા . . .
LikeLike
પિંગબેક: ટાગોર વિનોદ | હાસ્ય દરબાર
પિંગબેક: રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદવૈભવ | S K Y
adatapost said:
Reblogged this on જેતલવાસણા.
LikeLike
Raam Mori said:
વાહ ! મજા પડી ગઈ.
ખૂબ ખૂબ આભાર 🙏
LikeLike
નિરવ said:
આભાર , તો શ્રી વેગડસાહેબનો 🙏😇
LikeLike